Site icon News Continuous Bureau | Mumbai

Manipur Violnce : મણિપુરના મોરેહમાં ટોળાએ ઘરોમાં આગ લગાવી, સુરક્ષા દળોની બસોને પણ નિશાન બનાવી

મણિપુરના મોરેહ જિલ્લામાં બુધવારે બદમાશોના એક જૂથે અનેક ઘરોને આગ ચાંપી દીધી. અધિકારીઓએ આ માહિતી આપી. આ ખાલી મકાનો મ્યાનમાર બોર્ડર પાસે મોરેહ બજાર વિસ્તારમાં હતા

Mobs set houses on fire, also targeted security forces' buses in Manipur's Moreh

Mobs set houses on fire, also targeted security forces' buses in Manipur's Moreh

News Continuous Bureau | Mumbai

Manipur Violence : મણિપુરના મોરેહ જિલ્લામાં બુધવારે બદમાશોના એક જૂથે અનેક ઘરોને આગ ચાંપી દીધી. અધિકારીઓએ આ માહિતી આપી. આ ખાલી મકાનો મ્યાનમાર બોર્ડર પાસે મોરેહ બજાર વિસ્તારમાં હતા. અધિકારીઓએ જણાવ્યું કે કાંગપોકપી જિલ્લામાં ટોળાએ સુરક્ષા દળોની બે બસોને સળગાવી દીધાના કલાકો બાદ આગ લગાવવાની આ ઘટના બની. આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી. મંગળવારે સાંજે દીમાપુરથી બસ આવી રહી હતી ત્યારે આ ઘટના સાપોરમિનામાં બની હતી.

Join Our WhatsApp Channel

અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનિક લોકોએ મણિપુર રજીસ્ટ્રેશન નંબરવાળી બસને સાપોરમિના ખાતે રોકી અને કહ્યું કે તેઓ તપાસ કરશે કે બસમાં અન્ય સમુદાયનો કોઈ સભ્ય છે કે કેમ. અધિકારીઓએ જણાવ્યું કે તેમાંથી કેટલાકે બસોને આગ ચાંપી દીધી.

આ સમાચાર પણ વાંચો : Pakistan Batsman : 23 વર્ષીય પાકિસ્તાની બેટ્સમેને શ્રીલંકાને તેના ઘરમાં ઝુકાવ્યું, ચોથી સદી ફટકારી

મેઇતેઇ સમુદાયની અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યા અને 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં આયોજિત ‘આદિવાસી એકતા માર્ચ’ દરમિયાન હિંસા ફાટી નીકળી, ત્યારથી મણિપુરમાં 160 થી વધુ લોકો માર્યા ગયા છે. મેઇતેઇ સમુદાય રાજ્યમાં લગભગ 53 ટકા વસ્તી ધરાવે છે અને તેઓ મુખ્યત્વે ઇમ્ફાલ ખીણમાં રહે છે. તે જ સમયે, નાગા અને કુકી જેવા આદિવાસી સમુદાયો વસ્તીના 40 ટકા હિસ્સો ધરાવે છે અને મોટે ભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.

Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Exit mobile version