Site icon News Continuous Bureau | Mumbai

સંસદમાં મોદી સરકાર બોલી – માલ્યા અને નીરવ સહિત 38 લોકો 5 વર્ષમાં દેશ છોડી ભાગી ગયા છે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

15 સપ્ટેમ્બર 2020

કોરોના સમયગાળામાં સંસદનું ચોમાસું સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થયું છે. સત્રના પહેલા દિવસે નાણાં મંત્રાલયે સંસદમાં જણાવ્યું હતું કે, વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી સહિત 38 લોકો 1 જાન્યુઆરી 2015 થી લઈ 31 જાન્યુઆરી 2019 સુધીમાં દેશ છોડી ગયા છે. તમામ સામે નાણાકીય ગેરરીતિના કેસ નોંધાયા છે, જેની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. 

આ અવસરે નાણાં મંત્રાલયે માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની પુનર્વિચાર અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. હકીકતમાં, માલ્યાએ 2017 ના નિર્ણયની વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે તેના પરિવારના ખાતામાં બેંક લોન દ્વારા 40 મિલિયન ટ્રાન્સફર કરવાના મામલાને અવમાનજનક ગણાવી હતી.

લોકસભાની કાર્યવાહી 14 સપ્ટેમ્બરના પહેલા દિવસે સવારે 9:00 થી બપોરે 1:00 સુધી ચાલી હતી, હવે લોકસભા ગૃહ 15 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી બપોરે 3:00 થી સાંજના 7:00 સુધી બેસશે. તેવી જ રીતે રાજ્યસભાની કાર્યવાહી 14 સપ્ટેમ્બરના રોજ બપોરે 3:00 થી સાંજના 7:00 સુધી યોજાવાની છે, પરંતુ 15 સપ્ટેમ્બરથી સવારે 9:00 થી બપોરે 1:00 સુધી રહેશે. લોકસભા અને રાજ્યસભાનો સમય કોરોનાને ધ્યાનમાં રાખીને અલગ રાખવામાં આવ્યો છે..

Indian Weapon Demand બ્રહ્મોસથી લઈને આકાશતીર સુધી, દુનિયામાં વધી ભારતીય હથિયારોની ધાક, શું ડિફેન્સ સેક્ટરમાં કિંગ બનશે ભારત?
Global Crude Oil Stock યુએસઈરાન તણાવથી ક્રૂડ ઓઈલ 6% મોંઘું જાણો વૈશ્વિક તેલ સંકટ વચ્ચે ભારત પાસે કેટલા દિવસનો સ્ટોક?
Amit Shah Devendra Fadnavis Meeting અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે દિલ્હીમાં બંધ બારણે બેઠક, ૩ કલાક સુધી વિવિધ મુદ્દાઓ પર થયું મંથન
West Bengal Baruipur police encounter પ. બંગાળમાં પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતાં રેપમર્ડરના આરોપીનું એન્કાઉન્ટર, માનવાધિકાર સંગઠનોએ ઉઠાવ્યા સવાલ
Exit mobile version