Site icon News Continuous Bureau | Mumbai

Mohan Bhagwat: ભારત કે પછી ઇન્ડિયા? મોહન ભાગવતની દલીલ અને અપીલ. સંધનો નિર્ણય સ્પષ્ટ છે..

Mohan Bhagwat: ઈન્ડિયા vs ભારત કેસ પર આરએસએસના વડાએ પોતાની પ્રતિક્રિયા આપતા સંઘનો મત સ્પષ્ટ કર્યો હતો અને તેમણે લોકોને પણ અપીલ કરી હતી કે તેઓ ઈન્ડિયાને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરે.

Mohan Bhagwat India or Bharat Mohan Bhagwat's argument and appeal. The decision of the treaty is clear…

Mohan Bhagwat India or Bharat Mohan Bhagwat's argument and appeal. The decision of the treaty is clear…

 News Continuous Bureau | Mumbai  

Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ( RSS ) ના વડા મોહન ભાગવતે ઈન્ડિયા ( INDIA ) વિરુદ્ધ ભારત ( Bharat ) કેસ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ ઈન્ડિયાને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરે. તેમણે તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું. પ્રોપર નાઉન એટલે કે યોગ્ય સંજ્ઞાનું કોઈ ભાષાંતર થતું નથી. આરએસએસ વડાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે. જ્યારે થોડા મહિના પહેલા ઈન્ડિયા vs ભારતને ( India vs Bharat ) લઈને ઘણો વિવાદ થયો હતો. 

Join Our WhatsApp Channel

મિડીયા રિપોર્ટ અનુસાર આસામના ( Assam ) માજુલીમાં લોકોને સંબોધતા આરએસએસના વડાએ કહ્યું હતું કે, ‘ભારતની પ્રગતિ તેને અમેરિકા કે ચીન જેવી બનાવવાની નથી. ભારતે, ભારત જ રહેવું જોઈએ અને અમે આ જ દિશામાં અમે આગળ વધવાના પગલાં ભરી રહ્યા છીએ. હવે આપણું શિક્ષણનું માધ્યમ પણ આપણી માતૃભાષામાં જ છે. હવે આમાં આપણી આદિવાસી ભાષાઓનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ભાગવત ‘નોર્થ-ઈસ્ટ સંત મણિકંચન કોન્ફરન્સ-2023′ ( North-East Sant Manikanchan Conference-2023 ) કાર્યક્રમમાં ભાગ લેવા આસામ પહોંચ્યા હતા.

આપણા ધર્મે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી સમગ્ર વિશ્વને એકસાથે રાખવાનું કામ કર્યું છે…

મોહન ભાગવતે વધુમાં કહ્યું હતું કે, ‘આજકાલ આપણી અર્થવ્યવસ્થામાં આપણે મેક ઇન ઇન્ડિયાની વાત કરી રહ્યા છીએ. અને તેનાથી આગળ વધીને આપણે કહીએ છીએ કે ઈન્ડિયાને બદલે ભારતનો ઉપયોગ કરો. કેમ કે યોગ્ય સંજ્ઞાનો કોઈ અનુવાદ થતો નથી. તેથી ભારતને દરેક ભાષામાં ભારત જ કહેવુ જોઈએ. તેમણે આગળ જણાવતા કહ્યું, ‘આપણા ધર્મે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી સમગ્ર વિશ્વને એકસાથે રાખવાનું કામ કર્યું છે.’

આ સમાચાર પણ વાંચો :  Air India Express: ઉદ્ઘાટન પહેલા જ એર ઈન્ડિયાની આવી મોટી જાહેરાત.. આ ત્રણ શહેરોથી અયોધ્યા ધામ માટે મળશે સીધી ફ્લાઈટ..

તેમણે આગળ જણાવતા કહ્યું હતું કે, ‘હિંદુ દરેકની પૂજાનું સન્માન કરે છે. હિંદુ ધર્મ પોતાના ભોજન અને બીજાના ભોજનનો આદર કરવાનું શીખવે છે. હિન્દુ ધર્મ દરેકનું સન્માન કરવાનું શીખવે છે. હિંદુ ધર્મ શીખવે છે કે આપણે આપણી પોતાની પૂજા પદ્ધતિને વળગી રહેવું જોઈએ અને અન્યની પૂજા પદ્ધતિઓનો પણ આદર કરવો જોઈએ. ‘વિવિધ ધાર્મિક પરંપરાઓ હોવા છતાં, આપણે બધા એક શાશ્વત પ્રવાહમાં આગળ વધી રહ્યા છીએ, માનવતાનો ધર્મ શાશ્વત છે. તે મહત્વનું છે કે આપણે બધા સાથે મળીને આગળ વધીએ. દેશમાં દરેકનો ધર્મ સમાન છે. ભારતે આજે બધા દેશોની સાથે ઊભા રહેવાની જરૂર છે.

Bijnor Watermelon Poisoning। તરબૂચ ખાતા પહેલા ૧૦૦ વાર વિચારજો! મુંબઈ જેવી જ ઘટના બિજનૌરમાં બની, ફળ ખાધા બાદ પુત્રીનું કરૂણ મોત
Shahzad Bhatti Module Busted| મંદિરો અને પ્રખ્યાત ઢાબા હતા આતંકીઓના નિશાને! દિલ્હી પોલીસે ISI ના મોડ્યુલના ૯ સાગરીતોને દબોચ્યા, મોટા હુમલાનું પ્લાનિંગ નિષ્ફળ
Suvendu Adhikari PA Murder। પ્રોફેશનલ શૂટર્સ, ૩ દિવસની રેકી અને પછી હત્યા! સુવેન્દુ અધિકારીના અંગત મદદનીશના મોતમાં SITનો ચોંકાવનારો ઘટસ્ફોટ
Hamirpur Boat Accident। હમીરપુરમાં કાળજું કંપાવતી ઘટના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યમુનામાં હોડી પલટતા ૨ ના મોત, ૪ બાળકો હજુ પણ લાપતા!
Exit mobile version