Site icon News Continuous Bureau | Mumbai

Mohsin Mohammad: 10મા ધોરણ પાસ વ્યક્તિએ લીધી ₹300 કરોડની લોન, બેંકોને છેતરવા માટે રચી એવી યોજના કે સૌ કોઈ ચકિત

Mohsin Mohammad: મોશિન મોહમ્મદ નિઝામુદ્દીનનો રહેવાસી છે અને તે 10મું ધોરણ પાસ છે. તેણે અનેક સંપત્તિઓ ગીરવે રાખીને વિવિધ બેંકોમાંથી લગભગ ₹300 કરોડની લોન લીધી.

Mohsin Mohammad 10th Pass Man Takes ₹300 Crore Loan, Devises Scheme to Defraud Banks, Leaves Everyone Stunned

Mohsin Mohammad 10th Pass Man Takes ₹300 Crore Loan, Devises Scheme to Defraud Banks, Leaves Everyone Stunned

News Continuous Bureau | Mumbai

દિલ્હી પોલીસની આર્થિક ગુનાહિત શાખાએ (EOW) મોસની મોહમ્મદને કરોડો રૂપિયાના ફ્રોડના કેસમાં ધરપકડ કરી છે. મોશિન મોહમ્મદ MK Overseas Private Limitedના ડિરેક્ટર છે. તેણે 2016માં યસ બેંક (Yes Bank) પાસેથી કંપનીના નામે ₹95 કરોડનો લોન લીધી હતી. મોશિન મોહમ્મદ (Mohsin Mohammad) નિઝામુદ્દીનનો રહેવાસી છે અને તે 10મા ધોરણ પાસ છે. તેણે અનેક સંપત્તિઓ ગીરવે રાખીને વિવિધ બેંકોમાંથી લગભગ ₹300 કરોડની લોન લીધી હતી. જ્યારે વ્યવસાયમાં મંદી આવી અને તે લોન ચૂકવી શક્યો નહીં, ત્યારે બેંકોને છેતરવા માટે ગીરવે રાખેલી સંપત્તિઓ વેચવાનું શરૂ કર્યું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Vande Bharat: વંદે ભારત સાથે આ રૂટ પર મુસાફરી હવે સરળ બનશે,હવે કટરાથી શ્રીનગરની મુસાફરીમાં લાગશે ફક્ત આટલા કલાક

ગીર્વે રાખેલી સંપત્તિઓનું વેચાણ કરીને પૈસા સગે વગે કરી નાખ્યા…

મોશિન મોહમ્મદે દરીયાગંજમાં 19C, અંસારી રોડ પર આવેલી એક સંપત્તિ ગીરવે રાખી હતી. માર્ચ 2018થી મે 2019 દરમિયાન આ જમીન પર અનેક ફ્લેટોનું નિર્માણ કરીને તેને લોકોને વેચી દીધા. આ રીતે છેતરપિંડીવાળી વેચાણ દ્વારા ₹13 કરોડની રકમ એકત્ર કરી હતી. આરોપીએ એક સહકારી બેંકમાં ખાતું ખોલ્યું અને તેમાંથી પોતાના ખાનગી ઉપયોગ માટે ₹3.33 કરોડથી વધુની રકમ ઉપાડી લીધી. પોલીસથી બચવા માટે તે મોબાઇલ નંબર બદલી રહ્યો હતો અને અન્ય વ્યક્તિઓના નામે સિમ કાર્ડ અને મોબાઇલ ફોન ખરીદી રહ્યો હતો. ટેકનિકલ દેખરેખના આધારે પોલીસ ટીમે નિઝામુદ્દીન (પશ્ચિમ)ના એક હોટલમાં દરોડો પાડી તેને ત્યાંથી ધરપકડ કરી

Allahabad HC Verdict Against Indira Gandhi જ્યારે ન્યાયતંત્ર સામે નમ્યું સિંહાસન ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરતો ઐતિહાસિક ચુકાદો.
Ayodhya Ram Mandir Donation Case સુપ્રીમ કોર્ટે CBISIT તપાસની માગણી કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો કર્યો ઇનકાર
PMO Ram Mandir Trust Donation Dispute અયોધ્યાથી દિલ્હી સુધી ખળભળાટ! રામ મંદિરના દાનના હિસાબ મુદ્દે PMO આમનેસામને, ચંપત રાયના એક જવાબથી રાજકારણ ગરમાયું
Jammu Kashmir Pulwama Earthquake Updates ધરતી ધ્રુજી! વેનેઝુએલાજાપાન બાદ હવે ભારતના આ રાજ્યમાં મધ્યરાત્રિએ આવ્યો ભૂકંપ, ભયના માર્યા ફફડી ઉઠ્યા લોકો
Exit mobile version