Site icon

મહત્વના સમાચાર – મંકીપોકસ માટે કોરોના જેવી ગાઈડલાઈન- આટલા બધા દિવસ આઇસોલેટ થવું પડશે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

હવે કોરોના(coronavirus) સામે ઝઝૂમી રહેલા દેશોમાં મંકીપોક્સ(Monkeypox)ના કેસોએ તણાવ વધાર્યો છે. વિશ્વના 75 દેશોમાં મંકીપોક્સના 16 હજારથી વધુ કેસ નોંધાયા છે. ભારત(India)માં પણ મંકીપોક્સે દસ્તક આપી છે. તાજેતરમાં, કેરળમાં ત્રણ કેસ નોંધાયા પછી, દિલ્હીના એક વ્યક્તિને મંકીપોક્સના લક્ષણો હોવાનું જાણવા મળતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મંકીપોક્સના વધતા જતા કેસોને જોતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પહેલાથી જ ચેતવણી આપી ચૂક્યું છે. મંકીપોક્સને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી તરીકે જાહેર કરીને, WHO એ તમામ દેશોને ગંભીર બનવા હાકલ કરી છે. તે જ સમયે, ભારત સરકારે મંકીપોક્સને લઈને એક માર્ગદર્શિકા(guideline) પણ બહાર પાડી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંકીપોક્સના સંચાલન માટે રાજ્યોને માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકામાં 21 દિવસનું આઇસોલેશન(Isolation), માસ્ક(Facemask) પહેરવું, હાથ સાફ રાખવા(Hand clanliness), ઘાને સંપૂર્ણપણે ઢાંકવા અને તેમના સંપૂર્ણ સ્વસ્થ થવાની રાહ જોવાનો સમાવેશ થાય છે. 

 આ સમાચાર પણ વાંચો : વોટર IDને લઈને યુવાનો માટે ખુશખબર- 18 નહીં હવે આટલા વર્ષની ઉંમરે પણ ચૂંટણી કાર્ડ માટે કરી શકાશે એપ્લાય- ચૂંટણી પંચે કરી જાહેરાત

– મંકીપોક્સ(Monkeypox)થી સંક્રમિત દર્દીએ 21 દિવસ સુધી આઇસોલેશન(Isolation)માં રહેવું પડશે. આ સમયગાળા દરમિયાન તે દર્દી(patient) પર નજર રાખવામાં આવશે.

– ચેપગ્રસ્ત વ્યક્તિએ ત્રણ લેયરવાળુ માસ્ક(Three layer face msk) પહેરવું પડશે.

શક્ય હોય ત્યાં સુધી ત્વચાના ઘાને ઢાંકીને અન્ય લોકોના સંપર્કમાં આવવાનું જોખમ ઓછું ટાળવું જોઈએ. 

– સાથે જ જ્યાં સુધી તમામ ઘા રૂઝાઈ ન જાય અને સ્કેબ્સ સંપૂર્ણપણે ઊતરી ન જાય ત્યાં સુધી દર્દીઓએ એકલતામાં રહેવું પડશે.

– જો દર્દીમાં મંકીપોક્સના લક્ષણો દેખાય તો તેના આધારે તરત જ સારવાર શરૂ કરવી અનિવાર્ય છે.

– મંકીપોક્સથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોએ પણ લક્ષણો અને પરીક્ષણોના આધારે દેખરેખ રાખવી પડશે અને સારવાર લેવી પડશે.

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version