Site icon News Continuous Bureau | Mumbai

વિદેશમાં અકસ્માતમાં ૨ હજારથી વધુ ભારતીયોનાં મોત, અકસ્માત અને કોરોનામાં સૌથી વધુ મોત દુબઈ અને કુવૈતમાં થયા: સરવે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

કોવિડ ઉપરાંત અકસ્માતના કારણે વિદેશી ધરતી પર મૃત્યુ પામનારા ભારતીયોની સંખ્યા સૌથી વધુ સઉદી અરબ, યૂએઇ અને કુવૈતમાં નોંધાઈ છે. ભારતીયોના અભ્યાસ અને નોકરી માટેના પસંદગીના દેશો પૈકી યૂએઇમાં અકસ્માત અને કોવિડ મોત મામલા વધારે નોંધાયા છે. પરંતુ કેનેડામાં અકસ્માતે ૪૧ અને કોવિડના કારણે માત્ર ૨ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં અકસ્માતથી ૨૧ ભારતીયોના મોત થયા છે પરંતુ કોવિડના કારણે એક પણનું મોત થયું નથી. ચીનમાં પણ કોવિડથી જીવ ગુમાવનાર ભારતીયની સંખ્યા શૂન્ય છે. અહીં અકસ્માતે ૫નાં મોત થયા છે. વિદેશની ધરતી પર અકસ્માતે જીવ ગુમાવનાર ૪૬૮ ભારતીયોના પરિવારને આર્થિક સહાય કે ન્યાય નથી મળ્યો. આ યાદીમાં ૧૩ દેશનો સમાવેશ થાય છે જે પૈકી સૌથી વધુ કેસ કુવૈતમાં ૧૪૨ છે. ઓમાનમાં ૧૨૭ કેસ છે અને સઉદી અરબમાં ૮૫ કેસ છે. યૂએઇમાં પણ ૨૪ કેસ પેન્ડિંગ છે. યમન અને દક્ષિણ આફ્રિકામાં પણ એક-એક કેસ પેન્ડિંગ છેવિદેશમાં નોકરી-ધંધો કરતા ભારતીયોના છેલ્લાં ત્રણ વર્ષમાં અકસ્માતે મોત થયાં એની તુલનામાં કોવિડના એક વર્ષમાં થયેલાં મોતનો આંકડો દોઢ ગણાથી વધુ છે. વિદેશની ધરતી પર ૨૦૧૯માં ૧૧૦૦ ભારતીયનાં અકસ્માતે મોત થયાં હતાં, ૨૦૨૦માં આ સંખ્યા ૮૩૮ હતી અને ૨૦૨૧માં ૪૪૬નો આંકડો નોંધાયો હતો. એની સામે કોવિડના જીવ ગુમાવનાર ભારતીયોની સંખ્યા ૪૦૪૮ છે. આ માહિતી લોકસભા પ્રશ્નોત્તરી દરમિયાન વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ૬૩ દેશમાં ભારતીયોનાં અકસ્માતે મોત નોંધાયાં છે. બીજી ૮૫ દેશ એવા છે, જ્યાં કોવિડને કારણે ૧થી લઈને ૧૧૫૪ ભારતીયએ જીવ ગુમાવ્યા છે.

 

ઓમિક્રોનના ડરથી બુસ્ટર ડોઝ લેવા માટે વિદેશ જઈ રહ્યા છે લોકો, બ્રિટન-અમેરિકા બાદ હવે આ દેશ ટોપ લિસ્ટમાં; જાણો વિગતે 

Indian Official Appointed as FATF Vice President FATF માં ભારતનો દબદબો, પ્રથમ વખત ભારતીય અધિકારી વિવેક અગ્રવાલ બન્યા ઉપાધ્યક્ષ
Ram Mandir Donation Scam રત્નજડિત હાર અને ચરણ પાદુકા ગાયબ; અનિલ મિશ્રા અને ટિન્નુ યાદવ પર તપાસનો ગાળિયો
Ban on FDC Drugs દવાઓ પર સરકારની મોટી કાર્યવાહી 16 ‘ફિક્સ ડોઝ કોમ્બિનેશન’ (FDC) દવાઓના વેચાણ પર પ્રતિબંધ
Indian Navy Expansion ભારતીય નૌસેનાને મળશે નવી તાકાત પીએમ મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે ત્રણ નવા સ્વદેશી યુદ્ધપોત
Exit mobile version