Site icon

Assam: આસામનાં શ્રીમતી કલ્યાણી રાજબોંગશીએ 1000 વિક્રેતાઓને સ્વાનિધિનો લાભ લેવા પ્રોત્સાહન આપ્યું

Assam: આસામ ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરનારે પ્રધાનમંત્રીને સમાજ સેવાના ઉત્સાહથી પ્રભાવિત કર્યા."તમે એક જીવંત ઉદાહરણ છો કે જ્યારે કોઈ સ્ત્રી આત્મનિર્ભર બને છે, ત્યારે સમાજને મોટો ફાયદો થાય છે"

Mrs. Kalyani Rajbongshi of Assam encouraged 1000 vendors to take advantage of Svanidhi.

Mrs. Kalyani Rajbongshi of Assam encouraged 1000 vendors to take advantage of Svanidhi.

News Continuous Bureau | Mumbai

Assam: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં ( Viksit Bharat Sankalp Yatra )  લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને તેમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી આપી હતી.

Join Our WhatsApp Community

ગૃહિણી શ્રીમતી કલ્યાણી રાજબોંગશી ( Kalyani Rajbongshi ) , જેઓ સ્વ-સહાય જૂથ ચલાવે છે અને ક્ષેત્ર-સ્તરના ફેડરેશન અને ફૂડ પ્રોસેસિંગ યુનિટની રચના કરી છે, તેમને આસામ ગૌરવ એવોર્ડથી ( Assam Gaurav Award ) સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ તેમની સફળતાની ગાથા સાંભળી હતી અને કલ્યાણીજીને કહ્યું હતું કે, તેમનું નામ જ લોકોનું કલ્યાણ સૂચવે છે.

પોતાના સાહસના નાણાકીય વિકાસ વિશે, તેણીએ માહિતી આપી કે તેણે પ્રથમ 2000 રૂપિયાથી મશરૂમ યુનિટથી શરૂઆત કરી, અને તે પછી આસામ સરકાર દ્વારા આપવામાં આવેલા 15,000 રૂપિયાથી, તેણે ફૂડ પ્રોસેસિંગ યુનિટ ખોલ્યું. આ પછી તેમણે 200 મહિલાઓ સાથે એરિયા લેવલ ફેડરેશનની સ્થાપના કરી હતી. તેમને PMFME ( Pradhan Mantri Formalisation of Micro Food Processing Enterprise Scheme ) હેઠળ પણ સહાયતા મળી હતી. પ્રધાનમંત્રી સ્વાનિધિ વિશે એક હજાર વિક્રેતાઓને શિક્ષિત કરવા બદલ તેમને “આસામ ગૌરવ” એનાયત કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Prime Minister: પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ તેગ બહાદુરજીને તેમના શહીદી દિવસ પર નમન કર્યા.

તેમણે વીબીએસવાય વાહન ‘મોદી કી ગેરંટી કી ગાડી’ને આવકારવામાં આ વિસ્તારની મહિલાઓનું નેતૃત્વ પણ કર્યું હતું અને તેઓ જે યોજનાઓના હકદાર હતા તેનો લાભ લેવા તેમને સમજાવ્યા હતા અને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ તેમને ઉદ્યોગસાહસિકતા અને સમાજ સેવાનો જુસ્સો જાળવવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે કોઈ મહિલા આત્મનિર્ભર બને છે, ત્યારે સમાજને ઘણો લાભ થાય છે, તેનું તમે જીવંત ઉદાહરણ છો.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version