Site icon

ચીન નેપાળની જમીન હડપી રહ્યું છે- વાત ઉજાગર કરનાર નેપાળી પત્રકારની હત્યા…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી 

Join Our WhatsApp Community

15 ઓગસ્ટ 2020 

રુઇ ગામમાં ચાઇનીઝ અતિક્રમણ અંગે લેખ લખનાર નેપાળી પત્રકાર બલારામ બાનીયા મૃત હાલતમાં મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. 50 વર્ષીય પત્રકારની લાશ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ વિસ્તારની નજીક, બાગમતી નદીના કાંઠે મળી હતી. ભીમફેડીમાં એરીયા પોલીસ ઓફિસથી તૈનાત ટીમે નદીમાંથી તેના મૃતદેહને બહાર કાઢી હેતૌડા હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. 

બાનીયા છેલ્લે છેલ્લે બલ્બુ નદીના કિનારે ચાલતા જોવા મળ્યા હતા. તેમના મોબાઇલ ફોન મુજબ તેનું લોકેશન પણ એ જ બતાવે છે. જેના પછી ફોન સ્વીચ ઓફ થયો છે. કાઠમાંડુના એક અખબારે જણાવાયું છે કે તેના પરિવારે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે તેને શોધી કાઢવા માટે પોલીસે એક ટીમ બનાવી હતી. લાશ પાસેથી મળેલા આઈ કાર્ડ ને આધારે પુષ્ટિ થયી હતી કે જે લાશ મળી હતી તે પત્રકાર બાણીયાની હતી." 

નેપાળના બીજા એક અખબારના જણાવ્યા મુજબ, બાણીયા કારકિર્દી ના પ્રારંભિક દિવસોથી, એક નેપાળી અખબાર સાથે સંકળાયેલા હતા. તેઓ રાજકારણ અને સંસદના સમાચારો આવરી લેતા હતા અને બાદમાં શાસન અને અમલદારશાહી અંગે વિસ્તૃત રિપોર્ટિંગ કરતા હતા. તેમણે ગોરખા જિલ્લામાં સ્થિત રુઇ ગામમાં ચાઇનીઝ અતિક્રમણને પ્રકાશિત કરતો લેખ લખ્યો હોવાના અહેવાલ છે. નોંધનીય વાત એ છે કે ભારત અને નેપાળ વચ્ચેના તણાવપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો વચ્ચે ચીનની બદમાશી ઉજાગર કરનાર એક પત્રકારનું નેપાળમાં મોત થયું છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version