Site icon News Continuous Bureau | Mumbai

કાશ્મીરમાં આંતકનો નવો ટ્રેન્ડ? લદાખમાં ખાઈમાં લશ્કરના વાહનને જાણી જોઈને પાડવામાં આવી હતી.. ડ્રાઈવર પર શંકાની સોય.

News Continuous Bureau | Mumbai 

એક તરફ કાશ્મીરમાં(Kashmir) આંતકીઓને(Terrorist) સફાયો લશ્કર બહુ મજબૂતાઈથી કરી રહી છે. એક પછી એક આંતકીઓને ઢેર કરી રહી છે ત્યારે આંતકીઓ હવે પોતાના અંજામને પાર પાડવા નવા નવા અખતરા અમલમાં મૂકી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. લદાખમાં(ladakh) લેહ સેકટરમાં(Leh Sector) સેનાના જવાનોની(Army officers) બસ ખાઈમાં પડી ગઈ હતી, જેમાં સાત જવાનો શહીદ થઈ ગયા હતા. તે બસનો ડ્રાઈવર ચાલતી બસમાંથી અચાનક કુદી પડ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

Join Our WhatsApp Channel

લેહના રોડ એક્સિડન્ટના(Road Accident) પ્રકરણમાં તપાસ દરમિયાન હવે શંકાની સોય ડ્રાઇવર તરફ જઈ રહી છે. એવુ માનવામાં આવે છે કે ડ્રાઈવર જાણીજોઈને બસને ખાઈમાં પાડવાના ઈરાદે ચાલતી બસમાંથી પહેલા જ કૂદી ગયો હતો. તેથી પોલીસ દ્વારા ડ્રાઇવર( driver) અહમદ શાહ(Ahmed Shah) સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તો હવે સેનાએ પણ ડ્રાઈવરને શોધવાનું ચાલુ કરી દીધું છે.

આ સમાચાર પણ વાંચો :  PM મોદીની  શી જિનપિંગ અને પુતિન સાથે વર્ચ્યુઅલ મુલાકાત, આ તારીખે યોજાશે બ્રિક્સ સમિટ.. 

શુક્રવારે લદાખના લેહ વિસ્તારમાં ભીષણ રોડ એક્સિડન્ટ થયો હતો. જેમાં તુર્તક સેકટરમાં ભારતીય જવાનોને(Indian army) લઈ જતી બસ ખીણમાં પડી ગઈ હતી. જેમાં સાત જવાન શહીદ થયા હતા. તો 19 જવાન ગંભીર રીતે જખમી થયા હતા. છેલ્લી ઘડીએ ડ્રાઈવર બસમાંથી બહાર કુદી ગયો હતો અને બસ ખીણમાં ખાબકી પડી હતી. તેથી ડ્રાઈવર શું આંતકવાદી સાથે મળેલો હતો અને પહેલાથી જ આ યોજના બનાવવામાં આવી હતી, તેના પર હવે તપાસ ચાલી રહી છે.

મળેલ માહિતી મુજબ ડ્રાઈવર અહમદ શાહ સ્થાનિક કાશ્મીરી નાગરિક છે. તે લેહ જિલ્લાના નબુરા થાના વિસ્તારના ચંગમરનો રહેવાસી છે. જવાનોને લઈ જતી ખાનગી બસ અહમદ ચલાવી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ બસ પરથી નિયંત્રણ છૂટી જતા બસ ખીણમાં પડી હતી. આ દુર્ઘટના બાદ અહમદ ફરાર થઈ ગયો છે કે મૃત્યુ પામ્યો છે તે હજી સ્પષ્ટ થયું નથી. તેને પોલીસ શોધી રહી છે.   
 

Supreme Court Ruling on Disinheriting Son હવે તમે તમારા પુત્રને સંપત્તિમાંથી કરી શકશો બેદખલ, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય
India Rejects Claims of Chinese Intrusion શું ચીન અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિમી અંદર ઘૂસ્યું? હવે આવ્યો ભારત સરકારનો સ્પષ્ટ જવાબ
Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
NEET Exam Reform Supreme Court Report નીટ પરીક્ષા સુધારણા… રાધાકૃષ્ણન કમિટીના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટ કડક, NTA પાસેથી માંગ્યો જવાબ
Exit mobile version