Site icon

 દેશમાં ફરી બેકાબૂ બન્યો કોરોના, એક જ દિવસમાં 90 હજારથી વધુ કેસ આવ્યા સામે; જાણો આજના ચિંતાજનક આંકડા 

As Covid cases spike, Centre asks these six states to keep a strict vigil

સાવચેત રહેજો.. દેશમાં ફરી વધી રહ્યો છે કોરોના, 4 મહિના બાદ એક જ દિવસમાં 700 કોરોના દર્દીઓ; મહારાષ્ટ્ર સહિત આ 6 રાજ્યોને આરોગ્ય સચિવે લખ્યો પત્ર..

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,6 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર

દેશમાં જીવલેણ કોરોના વાયરસની ગતિ વધી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 90,928 નવા કેસ નોંધાયા છે અને 325 લોકોના મોત થયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા પણ 71,381ના વધારા સાથે 2 લાખ 85 હજાર 401 થઈ ગઈ છે. આ સાથે, કોરોનાના સૌથી ખતરનાક વેરિયન્ટ ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 2630 કેસ નોંધાયા છે.  

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને બે લાખ 85 હજાર 401 થઈ ગઈ છે. તે જ સમયે, આ મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 82 હજાર 876 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 19 હજાર 206 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 43 લાખ 411 હજાર 9 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.

લોકડાઉન ટાળ્યું પણ રાત્રી કર્ફ્યુની જાહેરાત, આ રાજ્યમાં કોરોના વકરતા નાઈટ કર્ફ્યૂનો લેવાયો નિર્ણય; જાણો વિગતે

દેશમાં અત્યાર સુધીમાં 2630 લોકો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયા છે. દેશમાં આ વેરિયન્ટથી સંક્રમિત રાજ્યોની સંખ્યા વધીને 26 થઈ ગઈ છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં છે. આ પછી રાજસ્થાન ત્રીજા નંબર પર છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 797 લોકો, દિલ્હીમાં 465 અને રાજસ્થાનમાં 236 લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે.

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં કોરોના રસીના 148 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 91 લાખ 25 હજાર 99 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 148 કરોડ 67 લાખ 80 હજાર 227 ડોઝ આપવામાં આવ્યા છે.

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version