Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્રના સીમા સુરક્ષા બળ અધિકારને વ્યાપક કરવાના નિર્ણય ઉપર સુખબીર સિંહ બાદલે કેન્દ્રની ટીકા કરતાં આવું કહ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 18 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

કેન્દ્ર સરકારે સીમા સુરક્ષા બળ (BSF) અધિનિયમમાં બદલાવ કર્યો છે. પંજાબ, આસામ અને પશ્ચિમ બંગાળમાં BSFને આંતરરાષ્ટ્રીય સીમામાં 15 કિમીને બદલે 50 કિમીના ઘેરામાં તપાસ અને ધરપકડ કરવાનો અધિકાર આપ્યો છે. જેના ઉપર શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ અને ફિરોજપુરની લોકસભાના સાંસદ સુખબીર સિંહ બાદલે ટીકા કરીને તેને સેનાનું શાસન ગણાવ્યું છે. કેન્દ્રના આ નિર્ણય ઉપર બાદલે પંજાબના મુખ્ય પ્રધાન ચરણજિતસિંહ ચન્ની ઉપર પણ નિશાન સાધતાં કહ્યું હતું કે આ માટે પરવાનગી તેમણે જ આપી છે. 

સુખબીર સિંહ બાદલે એક મીડિયા સંસ્થાને કહ્યું હતું કે સરકારનો આ નિર્ણય પંજાબમાં સેનાના શાસન જેવો છે. હવે અડધું પંજાબ કેન્દ્રના હાથમાં છે. BSF સીમાવર્તી ક્ષેત્રોમાં નજીકના દરબાર સાહેબ અને વાલ્મીકિ મંદિરમાં પ્રવેશ કરીને કોઈની પણ ધરપકડ કરી શકે છે. આ વાત માટે મુખ્ય પ્રધાન દોષી છે. તેમણે જ કેન્દ્રીય ગૃહપ્રધાન સાથે મુલાકાત લઈને આની પરવાનગી આપી છે. 

વાહ! મુંબઈગરાને મળશે નવજાત પેંગ્વિનનાં બચ્ચાં જોવાનો મોકો : નવેમ્બર મહિનામાં આ તારીખથી પર્યટકો માટે રાણીબાગ ફરી ખુલ્લું મુકાશે; જાણો વિગત

સુખબીર સિંહ બાદલે કેન્દ્રના આ પગલાને પંજાબવાસીઓનું અપમાન ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે રાજકીય પાર્ટીઓ નાનકડી ભાગીદારી માટે પોતાની લડાઈ બંધ નહીં કરે તો કેન્દ્ર આપણી

નબળાઈનો ફાયદો ઉઠાવશે. જનતાની સમસ્યાઓનું સમાધાન કરવા માટે પણ આપણી પાસે અધિકાર નહીં રહે. બાદલે રાજ્યની અન્ય રાજકીય પાર્ટીઓને કેન્દ્રના નિર્ણય વિરુદ્ધ એકત્ર થઈને લડાઈ લડવાની હાકલ કરી છે.

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
INS Nipun Commissioned ‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક મજબૂત કદમ, ભારતીય નૌકાદળમાં ‘આઈએનએસ નિપુણ’ સત્તાવાર રીતે સામેલ
Exit mobile version