Site icon

બિહારમાં ચારા કૌભાંડને ખુલ્લો પાડનારા આ ભૂતપૂર્વ અધિકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર બનશે; વાંચો તેમની કરિયર પ્રોફાઈલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 13 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

બિહારના ચાઇબાસામાં ઘાસચારા કૌભાંડનો ઘટસ્ફોટ કરનારા ભૂતપુર્વ અધિકારી હવે વડાપ્રધાનના સલાહકાર બનશે. તેમની ઉપર દેશની શિક્ષણ નીતિમાં બદલાવ લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે અમિત ખરેની નિમણૂક કોન્ટ્રાક્ટને આધારે થઈ છે. જેમનો કાર્યકાળ બે વર્ષનો અને તેમનું પદ સચિવના સ્તરનું રહેશે. 

લો બોલો! ગ્રાહકોને બદલે રાજયના આ વીજ એકમો બારોબાર વીજળી વેચી મારતા હોવાનો વીજ મંત્રાલયનો ચોંકાવનારો આરોપ; જાણો વિગત.
અમિત ખરે વર્ષ 1985 બેચના ઝારખંડ કેડરના અધિકારી હતા. તેઓ ગયા મહિને જ નિવૃત્ત થયા હતા. તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદમાંથી MBA કર્યું છે. વર્ષ 2019 માં ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. અમિત ખરેની ગણતરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અધિકારીઓમાં થાય છે. ખરેએ વર્ષ 2018-19 માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ તરીકે પણ સેવા આપી છે. તેમના કાર્યકાળ દરમિયાન જ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (મધ્યવર્તી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમો, 2021 રજૂ કરાયા હતા.

Srinagar Protest on Khamenei Death: ખામેનેઈના મોત પર શ્રીનગરના રસ્તાઓ પર ઉતરી ભીડ; સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, કાશ્મીરમાં હાઈ-એલર્ટ.
MHA Alert on Iran Israel War: Iran Attack Impact in India: ભારતના અનેક રાજ્યોમાં સુરક્ષા કડક, ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી; કટ્ટરપંથી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી નો આદેશ.
Delhi School Bomb Threat: દિલ્હીની ટોચની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! સરદાર પટેલ વિદ્યાલયમાં હાઈ-એલર્ટ; પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ..
Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
Exit mobile version