Site icon News Continuous Bureau | Mumbai

બિહારમાં ચારા કૌભાંડને ખુલ્લો પાડનારા આ ભૂતપૂર્વ અધિકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર બનશે; વાંચો તેમની કરિયર પ્રોફાઈલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 13 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

બિહારના ચાઇબાસામાં ઘાસચારા કૌભાંડનો ઘટસ્ફોટ કરનારા ભૂતપુર્વ અધિકારી હવે વડાપ્રધાનના સલાહકાર બનશે. તેમની ઉપર દેશની શિક્ષણ નીતિમાં બદલાવ લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે અમિત ખરેની નિમણૂક કોન્ટ્રાક્ટને આધારે થઈ છે. જેમનો કાર્યકાળ બે વર્ષનો અને તેમનું પદ સચિવના સ્તરનું રહેશે. 

લો બોલો! ગ્રાહકોને બદલે રાજયના આ વીજ એકમો બારોબાર વીજળી વેચી મારતા હોવાનો વીજ મંત્રાલયનો ચોંકાવનારો આરોપ; જાણો વિગત.
અમિત ખરે વર્ષ 1985 બેચના ઝારખંડ કેડરના અધિકારી હતા. તેઓ ગયા મહિને જ નિવૃત્ત થયા હતા. તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદમાંથી MBA કર્યું છે. વર્ષ 2019 માં ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. અમિત ખરેની ગણતરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અધિકારીઓમાં થાય છે. ખરેએ વર્ષ 2018-19 માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ તરીકે પણ સેવા આપી છે. તેમના કાર્યકાળ દરમિયાન જ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (મધ્યવર્તી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમો, 2021 રજૂ કરાયા હતા.

Sonam Wangchuk Protest વાત ન બને તો મોટા પાયે આંદોલન કરવાની સોનમ વાંગચુક ની ચીમકી, લદ્દાખના હકો માટે સરકાર સામે મોરચો
NCPCR Child Labour Rescue નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા બાળ મજૂરીમાંથી ૩૮૦૦ થી વધુ બાળકોને મુક્ત કરાવાયા
Western Zonal Council Meeting કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવારે ગોવાની રાજધાની પણજી (Panaji) ખાતે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની ૨૮મી બેઠકની કરશે અધ્યક્ષતા
Lashkar militant killed જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, લશ્કરએતૈયબાનો પાકિસ્તાની આતંકી ઠાર
Exit mobile version