Site icon News Continuous Bureau | Mumbai

અમેરિકાના છઠ્ઠા રાજ્ય સાન ફ્રાન્સિસ્કો એ ભારત વિરોધી ઠરાવ પસાર કર્યો. જાણો વિગત….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
25 જુલાઈ 2020
ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં સાન ફ્રાન્સિસ્કો અમેરિકા નું છઠ્ઠું રાજ્ય બન્યું છે. જેણે ઠરાવ પસાર કરી ભારતના 'સીએએ' અને 'એનઆરસી' કાનૂનનો વિરોધ દર્શાવ્યો છે. આ કાયદો માનવ અધિકારો વિરોધનો હોવાનું જણાવ્યું છે. સાન ફ્રાન્સિસ્કોના સ્થાનિક NGO સાથે મળી યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રગતિશીલ દક્ષિણ એશિયન જૂથોની છાત્ર સંસ્થા, એલાયન્સ ફોર જસ્ટિસ એન્ડ અકાઉન્ટબિલિટી (એજેએ) એ​, ભારતના CAA અને NRC ની નિંદા કરતો પ્રસ્તાવ સાન ફ્રાન્સિસ્કો બોર્ડ ઓફ સુપરવાઇઝર્સ દ્વારા પસાર કરવામાં આવ્યો છે, તેને આવકાર્યો છે. તેમનું કહેવું છે કે ભારતે આ કાનૂન દ્વારા કોઈ એક સમુદાય ને વંચીત રાખ્યો છે જે માનવ અધિકારોનું હનન છે. 

અહીં નોંધપાત્ર વાત એ છે કે આ પહેલા અમેરિકાના ઓછા જાણીતા 5 રાજ્યો પહેલા જ ભારતીય નાગરિકતા સુધારો કાયદાનો એસેમ્બલીમા વિરોધ દર્શાવી ચુક્યા છે. જેમાં,  સીએટલ, અલ્બેની, સેન્ટ પોલ, હેમટ્રેમક અને કેમ્બ્રિજનો સમાવેશ થાય છે. 

Join Our WhatsApp Channel

આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓ અને યુ.એસ. કમિશન ફોર ઇન્ટરનેશનલ રીલીજીયન્સ ફ્રીડમ (યુએસસીઆઈઆરએફ) એ પણ સીએએ-એનઆરસી મૂદ્ધે કહ્યું હતું કે આ કાયદા "લાખો લોકોની નાગરિકતા ઉપર સવાલ ઉભા કરે છે પરંતુ સંભવિત રાજ્યહીનતાની સજા અને પરિણામો એક સમુદાય જ સહન કરશે." .

ઉલ્લેખનીય છે કે 'સીએએ 10 ડિસેમ્બર, 2019 પસાર કરાયો હતો, ત્યારબાદ નરેન્દ્ર મોદી સરકારે જાન્યુઆરી 2020 માં તેને લાગુ કર્યો હતો. જોકે, સરકાર નિયત સમયની અવધિમાં તેની અરજી માટેના નિયમોને અંતિમ રૂપ આપવામાં નિષ્ફળ ગઈ છે…     

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Lashkar terrorist killed in Shopian જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, શોપિયાં એન્કાઉન્ટરમાં લશ્કરનો ખૂંખાર આતંકવાદી ઠાર..
Ram Mandir Trust Controversy રામ મંદિર ટ્રસ્ટમાંથી હટાવ્યા બાદ ચંપત રાયનું પ્રથમ નિવેદન ‘બધા આરોપોનો જવાબ આપીશ, સત્ય સામે આવશે’
EthanolBlended Petrol ઇથેનોલબ્લેન્ડેડ પેટ્રોલ (E20) અંગેની ગેરમાન્યતાઓ શું ખરેખર ગાડીનું એન્જિન બગડી રહ્યું છે? જાણો સરકારનું સ્પષ્ટીકરણ
Archaeological Survey of India ASI પુરાતત્વ સર્વેક્ષણ અને ઐતિહાસિક પુરાવા પ્રાચીન ઇમારતોના રહસ્યો ખોલતી ASI ની પદ્ધતિ
Exit mobile version