Site icon News Continuous Bureau | Mumbai

1984 શીખ રમખાણ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન કુમારને ઝટકો, સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

13 મે 2020 

1984માં શીખ વિરોધી રમખાણ કેસમાં આજીવન સજા ભોગવી રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન કુમારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સજ્જન કુમારે મેડિકલ આધાર પર જામીનની અરજી કરી હતી, જેને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે AIIMS ના રિપોર્ટને લઇને સજ્જનકુમારને રાહત આપવાને લઇને ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે AIIMS ના રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેઓને હોસ્પિટલમં દાખલ કરવાની જરૂર નથી. આ સાથે જ કોર્ટે જણાવ્યું કે તેમની નિયમિત જામીન અરજી પર જુલાઇમાં સુનાવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ખોખર અને સજ્જન કુમારને 17 ડિસેમ્બર, 2018નાં રોજ દિલ્હી હાઈકોર્ટે દોષી ઠેરવ્યા હતા. જે બાદથી બંને પૂર્વ નેતાઓ તિહાડ જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યાં છે. આ પહેલાં ખોખરને 15 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે તેના પિતાના મોત પછી 4 અઠવાડીયા માટે જામીન આપ્યા હતા..

Sonia Gandhi Medanta Hospital। સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ, ટૂંક સમયમાં થશે નાની સર્જરી; કોંગ્રેસના કાર્યકરોમાં ચિંતાનું મોજું
India LNG Import 2026। જ્યારે હોર્મુઝથી ગેસ નથી આવી રહ્યો, તો ભારતમાં કેવી રીતે થઈ રહી છે પૂર્તિ? જાણો ભારતનો ‘પ્લાનબી’
Prateek Yadav Death News। શું પારિવારિક કલેશને કારણે પ્રતીક યાદવે લીધું અંતિમ ડગલું? જિમ મિત્રએ વર્ણવી આપવીતી ‘છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ પરેશાન હતા’; જાણો અંદરની વાત
Prateek Yadav Lucknow Death। યાદવ પરિવારમાં શોકનું મોજું પ્રતીક યાદવનું શંકાસ્પદ સંજોગોમાં મોત, શું ઝેરી પદાર્થ બન્યું કારણ? લખનઉ પોલીસની ઊંડી તપાસ શરૂ
Exit mobile version