Site icon News Continuous Bureau | Mumbai

સર્જિકલ સ્ટ્રાઈકના પ્રશ્ન પર લે. જનરલ કલિતાએ કહ્યું, ‘ઓપરેશનને અંજામ આપતી વખતે સેના પુરાવા વિશે નથી વિચારતી’

તાજેતરમાં ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક અને તેના પુરાવા પર ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકીય નિવેદનબાજીઓ વચ્ચે હવે સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે સેના ઓપરેશનને અંજામ આપતી વખતે પુરાવા વિશે વિચારતી નથી.

'Nation Trusts Indian Armed Forces': Lt Gen Kalita On Oppn Demanding Proof Of Surgical Strikes

સર્જિકલ સ્ટ્રાઈકના પ્રશ્ન પર લે. જનરલ કલિતાએ કહ્યું, 'ઓપરેશનને અંજામ આપતી વખતે સેના પુરાવા વિશે નથી વિચારતી'

News Continuous Bureau | Mumbai

તાજેતરમાં ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક અને તેના પુરાવા પર ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકીય નિવેદનબાજીઓ વચ્ચે હવે સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે સેના ઓપરેશનને અંજામ આપતી વખતે પુરાવા વિશે વિચારતી નથી. 2016માં પાકિસ્તાનમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માટે વિપક્ષના કેટલાક નેતાઓની માગણી વચ્ચે સેનાનું નિવેદન આવ્યું છે. આર્મીના ઈસ્ટર્ન કમાન્ડના જીઓસી-ઈન-સી લેફ્ટનન્ટ જનરલ આરપી કલિતાએ શુક્રવારે કહ્યું હતું કે સેના કોઈપણ ઓપરેશન કરતી વખતે કોઈ પુરાવા રાખવા વિશે નથી વિચારતી.

Join Our WhatsApp Channel

કેટલાક વિપક્ષી નેતાઓ દ્વારા તાજેતરની માંગણીઓ પર કોલકાતામાં પત્રકારોના “રાજકીય પ્રશ્ન” નો જવાબ આપવાનો ઇનકાર કરતા, તેમણે કહ્યું કે દેશને ભારતીય સેના પર વિશ્વાસ છે. પ્રેસ ક્લબ, કોલકાતા ખાતે ‘મીટ ધ પ્રેસ’ કાર્યક્રમમાં તેમણે કહ્યું, “આ એક રાજકીય પ્રશ્ન છે. તેથી જ હું તેના પર ટિપ્પણી કરવાનું પસંદ કરતો નથી. મને લાગે છે કે દેશ ભારતીય સશસ્ત્ર દળો પર વિશ્વાસ કરે છે.”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઓપરેશન દરમિયાન સેનાએ કોઈ પુરાવા રાખે છે, તો તેમણે નકારાત્મક જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, “અમે જ્યારે કોઈ અભિયાન કરવા જઈએ છીએ, ત્યારે અમે તે અભિયાનનો કોઈ પુરાવો નથી રાખતા.”

આ સમાચાર પણ વાંચો:   આ તારીખો પર જન્મેલા બાળકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે, તેઓ જન્મતાની સાથે જ પરિવારનું ભાગ્ય બદલી નાખે છે!

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે તાજેતરમાં જમ્મુમાં રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન સીમા પાર સૈન્ય કાર્યવાહી પર શંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “તેઓ (કેન્દ્ર) સર્જિકલ સ્ટ્રાઈક અને ઘણા લોકોને મારવાની વાત કરે છે, પરંતુ તેનો કોઈ પુરાવો નથી. તેઓ જુઠ્ઠાણાનું બંડલ બતાવીને શાસન કરી રહ્યા છે.” જોકે, કોંગ્રેસે આ ટિપ્પણીથી પોતાને દૂર રાખતા કહ્યું કે તે તેમના વલણને પ્રતિબિંબિત કરતું નથી અને પક્ષ દેશના હિતમાં તમામ લશ્કરી કાર્યવાહીને સમર્થન આપે છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સિંહની ટિપ્પણીઓને “હાસ્યાસ્પદ” ગણાવી હતી અને કહ્યું હતું કે સશસ્ત્ર દળો તેમનું કામ “અસાધારણ રીતે” કરી રહ્યા છે અને તેમને કોઈ પુરાવા આપવાની જરૂર નથી. સપ્ટેમ્બર 2016 માં, ભારતે જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં આર્મી બેઝ પર આતંકવાદી હુમલાના જવાબમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

 

Shiv Sena Supreme Court Hearing શિવસેના કોની ? સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણી પૂર્ણ, જાણો આજની મોટી અપડેટ
TATA Sons AGM ટાટા સન્સના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર લાગ્યું ગ્રહણ, એજીએમ મુલતવી; અનેક તર્કવિતર્ક શરૂ, જાણો વિગતવાર
Strait of Hormuz US Territory હોર્મુઝ ની ખાડી (Strait of Hormuz) ને ટ્રમ્પે ગણાવ્યો અમેરિકાનો નવો પ્રદેશ, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર
NCC Aparajita Parang La expedition સંરક્ષણ મંત્રીએ NCCની ‘અપરાજિતા પારંગ લા ૨૦૨૬’ ઓલ ઈન્ડિયા ગર્લ્સ હાઈ અલ્ટીટ્યુડ લોંગ ટ્રેકને લીલી ઝંડી આપી
Exit mobile version