Site icon News Continuous Bureau | Mumbai

National Gopal Ratna Award -2023 : ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર-૨૦૨૩’ નેશનલ એવોર્ડ માટે ઓનલાઈન નોમિનેશન આજથી શરૂ.. આ છે અંતિમ તારીખ..

National Gopal Ratna Award -2023 : નોમિનેશન/અરજી સબમિટ કરવાની અંતિમ તા.૧૫ સપ્ટેમ્બર રહેશે

national-gopal-ratna-award-2023-to-be-conferred-on-the-occasion-of-national-milk-day

national-gopal-ratna-award-2023-to-be-conferred-on-the-occasion-of-national-milk-day

News Continuous Bureau | Mumbai    
National Gopal Ratna Award -2023 દૂધ ઉત્પાદક ખેડૂતો, ડેરી સહકારી મંડળીઓ/એફ.પી.ઓઝ અને કૃત્રિમ બીજદાન ટેકનિશિયનને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર-૨૦૨૩’ (National Gopal Ratna Award -2023) ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં મેરિટનું પ્રમાણપત્ર, એક સ્મૃતિચિહ્ન અને રોકડ પુરસ્કારનો સમાવેશ થાય છે. પશુપાલન અને ડેરી મંત્રાલયનાં નેશનલ એવોર્ડ પોર્ટલ https://awards.gov.in પર તા.૧૫ ઓગસ્ટથી ‘રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર’ ઓનલાઈન અરજી કરી શકાશે. નોમિનેશન/અરજી સબમિટ કરવાની અંતિમ તા.૧૫મી સપ્ટેમ્બર છે.

આ સમાચાર પણ વાંચો : Bindeshwar Pathak : સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક બિંદેશ્વર પાઠકનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ..

અરજીની સાથે લાયકાતનું પ્રમાણપત્ર, સ્મૃતિચિહ્ન અને રોકડ પુરસ્કાર સાથે પ્રથમ ક્રમને રૂ.પાંચ લાખ રૂપિયા, બીજા ક્રમને ત્રણ લાખ, ત્રીજા ક્રમ માટે બે લાખ આપવામાં આવે છે. શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન (AIT) કેટેગરીના કિસ્સામાં, ત્રણેય રેન્ક માટે એવોર્ડમાં મેરિટનું પ્રમાણપત્ર અને માત્ર સ્મૃતિ ચિન્હ રહેશે. આ પુરસ્કારો રાષ્ટ્રીય દૂધ દિવસ (National Milk Day) ૨૬મી નવેમ્બર,૨૦૨૩ના અવસરે એનાયત કરવામાં આવશે. એવોર્ડ મેળવવા માટે પાત્રતાના માપદંડો અને નોમિનેશનની ઓનલાઈન પ્રક્રિયા વિશે વધુ વિગતો માટે વેબસાઇટ https://awards.gov.in અથવા https://dahd.nic.in ની મુલાકાત લેવાની રહેશે.

Join Our WhatsApp Community
Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version