Site icon News Continuous Bureau | Mumbai

Naxal Attack : છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, અબુઝમાડમાં 25 નક્સલીઓ માર્યા ગયા..

Naxal Attack : છત્તીસગઢના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) ના જવાનોએ નારાયણપુરમાં નક્સલવાદીઓ સામે એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. માડ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ ચાલી રહી છે. અહેવાલો સૂચવે છે કે સેન્ટ્રલ કમિટી (CC) ના સભ્ય સહિત 25 નક્સલવાદીઓ માર્યા ગયા છે, જોકે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.

Naxal Attack Over 26 Naxalites Killed In Major Encounter Along Narayanpur-Bijapur Border

Naxal Attack Over 26 Naxalites Killed In Major Encounter Along Narayanpur-Bijapur Border

News Continuous Bureau | Mumbai

Naxal Attack : છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. સુરક્ષા દળોએ અબુઝહમાડમાં ટોચના નક્સલી કમાન્ડરોને ઘેરી લીધા છે. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 25  નક્સલીઓ માર્યા ગયાના અહેવાલ છે. છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ જણાવ્યું હતું કે નક્સલ પ્રભાવિત નારાયણપુર-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 25 નક્સલવાદીઓ માર્યા ગયા છે.

Join Our WhatsApp Channel

 

Naxal Attack :  સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.  નારાયણપુર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રભાત કુમારે જણાવ્યું હતું કે જિલ્લાના અબુઝહમાડ વિસ્તારના માડ ડિવિઝનમાં નક્સલવાદીઓની હાજરી અંગેની માહિતીના આધારે, જિલ્લા રિઝર્વ ગાર્ડ (DRG) નારાયણપુર, DRG દાંતેવાડા, DRG બીજાપુર અને DRG કોંડાગાંવની સંયુક્ત ટીમને નક્સલ વિરોધી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી.

Naxal Attack : માર્યા ગયેલા નક્સલીઓમાં ઘણા મોટા નામોનો સમાવેશ 

બુધવારે સવારે નારાયણપુર જિલ્લાના અબુઝમાડ જંગલમાં સુરક્ષા દળોએ 25 નક્સલીઓને ઠાર માર્યા હતા. અત્યાર સુધીમાં 20 માઓવાદીઓના મૃતદેહ અને હથિયારો મળી આવ્યા છે. માર્યા ગયેલા નક્સલીઓમાં મોટા કેડર નક્સલીઓનો પણ સમાવેશ થાય છે. આ એન્કાઉન્ટર દંતેવાડા, નારાયણપુર અને બીજાપુર જિલ્લાની સરહદ પર ચાલી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Pakistan army chief Asim Munir Promotion : શક્તિ પરિવર્તન: પાકિસ્તાનમાં જનરલ આસિમ મુનીર બન્યા ફીલ્ડ માર્શલ, લશ્કરી દબદબો વધ્યો

Naxal Attack : ફાયરિંગમાં એક જવાન ઘાયલ

પોલીસને માહિતી મળી હતી કે નક્સલ પોલિટબ્યુરોના સભ્ય અને નક્સલ સંગઠનના મહાસચિવ બસવ રાજુ અબુઝહમાદના બોટરમાં હાજર છે. તેના પર 1.5 કરોડ રૂપિયાનું ઇનામ છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે રાજુ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે કે નહીં. રાજ્યના ગૃહમંત્રી વિજય શર્માએ એન્કાઉન્ટર અંગે માહિતી આપી છે. તેમના મતે, ગોળીબારમાં એક સૈનિક ઘાયલ થયો છે. તેમની હાલત ખતરાથી બહાર છે.

India Defence Sector Self Reliance લેબથી બેટલફીલ્ડ સુધી… કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યું છે ભારતનું ડિફેન્સ સેક્ટર? દેશી હથિયારોનો વાગ્યો ડંકો
Acharya Balkrishna CBI Court Relief વર્ષો જૂના વિવાદનો અંત પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ પાસપોર્ટ કેસમાં દોષમુક્ત, વિશેષ સીબીઆઈ અદાલતનો મોટો ફેંસલો
Supreme Court On Doctor Assault નેતાઓની ગુંડાગીરી સહન નહીં થાય! મહારાષ્ટ્રની ઘટના પર સુપ્રીમ કોર્ટની પોલીસને કડક સૂચના—તત્કાળ જેલમાં પૂરો
Sonam Wangchuk Ladakh Ultimatum સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને આપ્યું એક વર્ષનું અલ્ટીમેટમ ‘જો માંગણીઓ નહીં સંતોષાય તો…’ લદ્દાખમાં ઉગ્ર આંદોલનની આપી ચેતવણી
Exit mobile version