Site icon News Continuous Bureau | Mumbai

સરકાર કોઈ નવી યોજના લાગુ નહીં કરે, માત્ર 20 લાખ કરોડનું કોરોના પેકેજ જ અમલી બનશે : નિર્મલા સિતારમણ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

5 જુન 2020

"નાણાં મંત્રાલયે ચાલુ વર્ષે કોવિડ -19 રોગચાળા વચ્ચે અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા અને જરૂરિયાતમંદ વર્ગને મદદ કરવા માટે રૂ. 20 ટ્રિલિયનના પેકેજની યોજના જાહેર કર્યા બાદ હવે કોઈ નવી યોજનાઓ જાહેર કરશે નહીં" એમ  આજે નાણાં મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું છે.   ઉપરાંત નવી યોજનાઓ કે જેને પહેલા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તે પણ આ નાણાકીય વર્ષ માટે સ્થગિત કરવામાં આવે છે.

 નાણા મંત્રાલયે 2020-21 માટે હાલની યોજનાઓ ચાલુ રાખવા માટે વચગાળાની મંજૂરી આપી દીધી છે. જો કે, આ પછી 15 મા નાણાપંચની ભલામણોની સ્વીકૃતિ પછી, દેશના ખજાનાની, સંસાધનોની સમીક્ષા કર્યા બાદ બીજી યોજના લાગુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય અગાઉ, સરકારે એપ્રિલમાં પ્રથમ ક્વાર્ટરમાં ખર્ચ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. મોટાભાગના મંત્રાલયો અને વિભાગો દ્વારા પ્રથમ ત્રિમાસિક ગાળાના ખર્ચ પર 15-20 ટકા સુધી કાપ મૂકવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં સ્થગિત કરાયા છે.  સરકારે ગયા મહિને 20-ટ્રિલિયન રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી, પરંતુ સરકારી તિજોરીને ફટકો બે ટ્રિલિયન ડોલરથી વધુનો પડ્યો છે.

વર્ષ 2020-21 માટે સરકારે 30.4 ટ્રિલિયન રૂપિયા ખર્ચ કર્યો છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં કરવામાં આવેલા 26.9 ટ્રિલિયન રૂપિયા કરતા 13 % વધારે છે. 

જો કે, કોરોનાવાયરસ ફાટી નીકળ્યા પછી આ સંખ્યામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે..

LPG Price Hike। સામાન્ય જનતાના બજેટ પર મોટો ઝટકો! ગેસ સિલિન્ડર મોંઘો થવાના એંધાણ, પીએમ મોદીની હાઈલેવલ મીટિંગથી હલચલ
PM Modi Foreign Tour। ૫ દેશોનો ૫ દિવસનો સુપરફાસ્ટ પ્રવાસ ખેડી વતન પરત ફર્યા પીએમ મોદી જાણો ભારત માટે કઈ રીતે ‘ગેમચેન્જર’ સાબિત થઈ આ યાત્રા!
PM Modi Meeting। દિલ્હીમાં મોટી હલચલ પીએમ મોદીના વતન પરત ફરતા જ મંત્રીઓ એલર્ટ, શું સરકાર કોઈ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે?
Nationwide Chemist Strike 2026। મેડિકલ સ્ટોર્સની હડતાળથી દેશમાં હાહાકાર! ૧૫ લાખ કેમિસ્ટો આજે કેમ રાખી રહ્યા છે બંધ? જાણી લો તમારા રાજ્યની સ્થિતિ
Exit mobile version