Site icon News Continuous Bureau | Mumbai

વાહ રે  સરકારી તંત્ર..!! 1600 ટન અનાજ ગોદામોમાં સડી ગયું… શું આ રીતે થશુ આપણે આત્મનિર્ભર..??

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
06 ઓક્ટોબર 2020

કોરોના કાળમાં લદાયેલા લૉકડાઉનને કારણે હજારો ગરીબો એક ટંક ભોજન માટે ટળવળતા રહ્યા. બીજી બાજુ સરકારી ગોદામોમાં 1600 ટન (એક ટન એટલે એક હજાર કિલો) અનાજ સડી ગયું જે ફેંકી દેવું પડ્યું. આ અનાજ ઢોરઢાંખર ખાય એવું પણ રહ્યું નહોતું. આ વર્ષના એપ્રિલમાં અન્ન પ્રધાન રામ વિલાસ પાસવાને એવો દાવો કર્યો હતો કે સરકારે ગોદામોમાં અને વિતરણમાં સચોટ પગલાં લેવામાં આવ્યાં છે.
 

Join Our WhatsApp Channel

હવે અન્ન મંત્ર્યાલયે એવા આંકડા જાહેર કર્યા હતા કે ચાલુ વર્ષના મે માસમાં 26 ટન અનાજ સડી ગયું હતું જ્યારે જૂનમાં 1452 ટનથી વધુ અનાજ સડી ગયું હતું. જુલાઇમાં ફરી આ આંકડો ઘટ્યો હતો અને 41 ટન અનાજ સડી ગયું હતું. ઑગષ્ટમાં ફરી 51 ટન અનાજ ફેંકી દેવું પડ્યું હતું. આ વર્ષના માર્ચ અને એપ્રિલમાં અનાજ ખરાબ થયું નહોતું. આમ તો દરેક ગોદામમાં અનાજને ઢાંકીને રાખવામાં આવે છે. ઉપરાંત ફ્યૂમીગેશન અને જંતુનાશક દવાઓ છાંટીને અનાજને સાચવવામાં આવે છે. પરંતુ આ વખતે લોકડાઉન ને કારણે માણસોની અછત ઉપરાંત વારે ઘડીએ આવેલા વરસાદના ઝાપટા ઓ પણ સડા પાછળ જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે ગોદામોમાં અનાજની સાચવણીમાં બેદરકારી વર્તનારા 125 સરકારી કર્મચારીઓ સામે 2014 અને 2018ની વચ્ચે શિસ્તભંગનાં પગલાં લેવામાં આવ્યાં હતાં…

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version