Site icon News Continuous Bureau | Mumbai

વાહ રે  સરકારી તંત્ર..!! 1600 ટન અનાજ ગોદામોમાં સડી ગયું… શું આ રીતે થશુ આપણે આત્મનિર્ભર..??

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
06 ઓક્ટોબર 2020

કોરોના કાળમાં લદાયેલા લૉકડાઉનને કારણે હજારો ગરીબો એક ટંક ભોજન માટે ટળવળતા રહ્યા. બીજી બાજુ સરકારી ગોદામોમાં 1600 ટન (એક ટન એટલે એક હજાર કિલો) અનાજ સડી ગયું જે ફેંકી દેવું પડ્યું. આ અનાજ ઢોરઢાંખર ખાય એવું પણ રહ્યું નહોતું. આ વર્ષના એપ્રિલમાં અન્ન પ્રધાન રામ વિલાસ પાસવાને એવો દાવો કર્યો હતો કે સરકારે ગોદામોમાં અને વિતરણમાં સચોટ પગલાં લેવામાં આવ્યાં છે.
 

Join Our WhatsApp Channel

હવે અન્ન મંત્ર્યાલયે એવા આંકડા જાહેર કર્યા હતા કે ચાલુ વર્ષના મે માસમાં 26 ટન અનાજ સડી ગયું હતું જ્યારે જૂનમાં 1452 ટનથી વધુ અનાજ સડી ગયું હતું. જુલાઇમાં ફરી આ આંકડો ઘટ્યો હતો અને 41 ટન અનાજ સડી ગયું હતું. ઑગષ્ટમાં ફરી 51 ટન અનાજ ફેંકી દેવું પડ્યું હતું. આ વર્ષના માર્ચ અને એપ્રિલમાં અનાજ ખરાબ થયું નહોતું. આમ તો દરેક ગોદામમાં અનાજને ઢાંકીને રાખવામાં આવે છે. ઉપરાંત ફ્યૂમીગેશન અને જંતુનાશક દવાઓ છાંટીને અનાજને સાચવવામાં આવે છે. પરંતુ આ વખતે લોકડાઉન ને કારણે માણસોની અછત ઉપરાંત વારે ઘડીએ આવેલા વરસાદના ઝાપટા ઓ પણ સડા પાછળ જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે ગોદામોમાં અનાજની સાચવણીમાં બેદરકારી વર્તનારા 125 સરકારી કર્મચારીઓ સામે 2014 અને 2018ની વચ્ચે શિસ્તભંગનાં પગલાં લેવામાં આવ્યાં હતાં…

Women’s Reservation Bill Defeated અંતરાત્માનો અવાજ કે રાજકીય રમત? મહિલા અનામત બિલ પડતા જ મચ્યો હંગામો, જાણો સરકારની હારના મુખ્ય કારણો
India China Delhi Meeting ભારતચીન મિત્રતા કે નવો ખેલ? પહેલીવાર સીધી વાતચીતથી વિશ્વભરમાં હલચલ, અમેરિકા કેમ છે પરેશાન?
TCS Nashik Case Update ‘TCS નું નિવેદન કે બચાવ? નાસિક કાંડમાં ફસાયેલી નિદા ખાન મુદ્દે કંપનીએ કર્યો મોટો દાવો!
Women’s Reservation Bill Parliament અમિત શાહનો વિપક્ષ પર મોટો હુમલો! મહિલા અનામત બિલની ચર્ચા વચ્ચે સંસદમાં શું થયું? જાણો અંદરની વાત.
Exit mobile version