Site icon

નેપાળ પોલીસે બિહાર સરહદ પર ગોળીબાર કર્યો, એકનું મોત, બે ઘાયલ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

12 જુન 2020

ચીનની ચઢામણી એ નેપાળ કુદી રહ્યું છે. ભારત અને નેપાળ વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન નેપાળે બિહાર સરહદ પર ફાયરિંગ કર્યું છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. એવું કહેવામાં આવે છે કે સરહદ પર બે જૂથો વચ્ચેના વિવાદ બાદ આ ગોળીબાર થયો, જેમાં ત્રણ લોકો ભોગ બન્યા છે. ગામલોકોનું કહેવું છે કે ફાયરિંગ નેપાળ દ્વારા કરવામાં આવ્યું છે. 

આ ઘટના બિહારમાં ભારત-નેપાળ બોર્ડર નજીક સીતામઢીના જાનકી નગર બોર્ડર પર બની હતી. 

 નેપાળી પોલીસ પોતાની સફાઈમાં કહી રહી છે કે, પોલીસના હથિયાર છીનવી લેનારા લોકો પર નેપાળી પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો. પરંતુ નેપાળી સેના દ્વારા સરહદ પાર કરવાના વિવાદમાં ફાયરિંગ થયું હોવાની વાત સ્થાનીકો કરી રહ્યા છે. હાલ આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે ભારતીય એસએસબી અને સ્થાનિક પોલીસ સરહદ પર ઉભા છે, જ્યારે નેપાળી આર્મી પણ નારાયણપુર બોર્ડર પર પડાવ નાખીને બેસી છે. આમાં એસએસબીના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નેપાળથી લગભગ 16 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેની તપાસ કરવામાં આવી રહી છે….

LPG Booking Update: BPCL નો નવો આદેશ! ૧૨ સિલિન્ડરનો ક્વોટા પૂરો થયા બાદ ગેસ મેળવવા આપવી પડશે આ વધારાની વિગત; જાણો હવે કેવી રીતે થશે બુકિંગ.
LPG Crisis Deepens Amid Iran War: મોંઘવારીમાં મોટો ફટકો! ઈરાન યુદ્ધને કારણે LPG સંકટ; હવે ૧૪.૨ કિલોના સિલિન્ડરમાં મળશે માત્ર ૧૦ કિલો ગેસ? જાણો સરકારનો નવો પ્લાન.
Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Badrinath Snowfall 2026: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું! ૩ દિવસની સતત હિમવર્ષા બાદ જોવા મળ્યો અદભૂત નજારો; જુઓ વીડિયો
Exit mobile version