Site icon

નેપાળ પોલીસે બિહાર સરહદ પર ગોળીબાર કર્યો, એકનું મોત, બે ઘાયલ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

12 જુન 2020

ચીનની ચઢામણી એ નેપાળ કુદી રહ્યું છે. ભારત અને નેપાળ વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન નેપાળે બિહાર સરહદ પર ફાયરિંગ કર્યું છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. એવું કહેવામાં આવે છે કે સરહદ પર બે જૂથો વચ્ચેના વિવાદ બાદ આ ગોળીબાર થયો, જેમાં ત્રણ લોકો ભોગ બન્યા છે. ગામલોકોનું કહેવું છે કે ફાયરિંગ નેપાળ દ્વારા કરવામાં આવ્યું છે. 

આ ઘટના બિહારમાં ભારત-નેપાળ બોર્ડર નજીક સીતામઢીના જાનકી નગર બોર્ડર પર બની હતી. 

 નેપાળી પોલીસ પોતાની સફાઈમાં કહી રહી છે કે, પોલીસના હથિયાર છીનવી લેનારા લોકો પર નેપાળી પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો. પરંતુ નેપાળી સેના દ્વારા સરહદ પાર કરવાના વિવાદમાં ફાયરિંગ થયું હોવાની વાત સ્થાનીકો કરી રહ્યા છે. હાલ આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે ભારતીય એસએસબી અને સ્થાનિક પોલીસ સરહદ પર ઉભા છે, જ્યારે નેપાળી આર્મી પણ નારાયણપુર બોર્ડર પર પડાવ નાખીને બેસી છે. આમાં એસએસબીના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નેપાળથી લગભગ 16 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેની તપાસ કરવામાં આવી રહી છે….

Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gold Price: સોનાના સતત વધતા ભાવ પર લાગી બ્રેક, જાણો આજે 25 સપ્ટેમ્બરના રોજ તમારા શહેરનો સોના અને ચાંદી નો ભાવ.
Election Commission: ચૂંટણી પંચ એ ચૂંટણી પ્રક્રિયાને લઈને કર્યો મોટો ફેરફાર, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Exit mobile version