Site icon

નેપાળ પોલીસે બિહાર સરહદ પર ગોળીબાર કર્યો, એકનું મોત, બે ઘાયલ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

12 જુન 2020

ચીનની ચઢામણી એ નેપાળ કુદી રહ્યું છે. ભારત અને નેપાળ વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન નેપાળે બિહાર સરહદ પર ફાયરિંગ કર્યું છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. એવું કહેવામાં આવે છે કે સરહદ પર બે જૂથો વચ્ચેના વિવાદ બાદ આ ગોળીબાર થયો, જેમાં ત્રણ લોકો ભોગ બન્યા છે. ગામલોકોનું કહેવું છે કે ફાયરિંગ નેપાળ દ્વારા કરવામાં આવ્યું છે. 

આ ઘટના બિહારમાં ભારત-નેપાળ બોર્ડર નજીક સીતામઢીના જાનકી નગર બોર્ડર પર બની હતી. 

 નેપાળી પોલીસ પોતાની સફાઈમાં કહી રહી છે કે, પોલીસના હથિયાર છીનવી લેનારા લોકો પર નેપાળી પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો. પરંતુ નેપાળી સેના દ્વારા સરહદ પાર કરવાના વિવાદમાં ફાયરિંગ થયું હોવાની વાત સ્થાનીકો કરી રહ્યા છે. હાલ આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે ભારતીય એસએસબી અને સ્થાનિક પોલીસ સરહદ પર ઉભા છે, જ્યારે નેપાળી આર્મી પણ નારાયણપુર બોર્ડર પર પડાવ નાખીને બેસી છે. આમાં એસએસબીના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નેપાળથી લગભગ 16 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેની તપાસ કરવામાં આવી રહી છે….

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Weather Update: સાવધાન! ભારે પવન અને ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ; હવામાન વિભાગે આગામી 48 કલાક માટે જારી કરી કડક ચેતવણી.
Exit mobile version