Site icon News Continuous Bureau | Mumbai

ઓલી ની બોલી બદલાઈ. સ્વતંત્રતા દિનના નામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

17 ઓગસ્ટ 2020 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ શનિવારે ટેલિફોનિક વાતચીત કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે, મે મહિનામાં હિમાલય રાષ્ટ્ર નેપાળ દ્વારા નવો રાજકીય નકશો બહાર પાડ્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધો ભારે તાનાવપુર્ણ છે. એવા સમયે 15 ઓગસ્ટની સ્વતંત્રતાની શુભેચ્છા પાઠવવા નેપાળના વડાપ્રધાન ઓલીએ પીએમ મોદીને ફોન કર્યો હતો.

વડા પ્રધાન મોદીએ એક પાડોશી હોવાને નાતે કોરોના નામના રોગચાળા સામેની લડતમાં નેપાળને તમામ મદદ ની ઓફર કરી હતી અને સાથે જ, બંને દેશોની સંસ્કૃતિ અને સાંસ્કૃતિક કડીઓની પણ નેપાળને યાદ અપાવી હતી. સાથે જ પીએમ મોદીએ ઓલીને તેમના ટેલિફોન કોલ માટે આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 8 મેના રોજ ઉત્તરાખંડના ધારચુલા સાથે લીપુલેખ પાસને જોડતી 80 કિમી લાંબી વ્યૂહાત્મક રીતે નિર્ણાયક માર્ગનું ઉદ્ઘાટન કર્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ આવી ગયો છે.

આ બાદ ચીનની ચઢામણીએ નેપાળે આ રસ્તાના ક્ષેત્રમાંથી પસાર થતો નવો નકશો બહાર પાડ્યો હતો. જેમાં લીપુલેખ, કલાપાની અને લિમ્પીયાધુરાને નેપાળ ના પ્રદેશો તરીકે દર્શાવ્યા હતાં. જોકે વડા પ્રધાન મોદી અને ઓલી વચ્ચેની વાતચીતમાં ભારત-નેપાળ સરહદને લઈ કોઈ વાતચીત થઈ કે નહીં એ જાણી શકાયું નથી…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Supreme Court Ruling on Disinheriting Son હવે તમે તમારા પુત્રને સંપત્તિમાંથી કરી શકશો બેદખલ, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય
India Rejects Claims of Chinese Intrusion શું ચીન અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિમી અંદર ઘૂસ્યું? હવે આવ્યો ભારત સરકારનો સ્પષ્ટ જવાબ
Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
NEET Exam Reform Supreme Court Report નીટ પરીક્ષા સુધારણા… રાધાકૃષ્ણન કમિટીના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટ કડક, NTA પાસેથી માંગ્યો જવાબ
Exit mobile version