Site icon News Continuous Bureau | Mumbai

રામનામની ‘હઠ’ નેપાળના પ્રધાનમંત્રી ખોદકામ કરાવી ને સાબિત કરશે કે અયોધ્યા નેપાળમાં હતું. જાણો વિગત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

18 જુલાઈ 2020

 નેપાળના પુરાતત્ત્વીય વિભાગએ વડા પ્રધાન કે પી શર્મા ઓલીના ભગવાન રામનું "વાસ્તવિક જન્મસ્થળ" નેપાળમાં હોવાના દાવા પછી, દેશની દક્ષિણમાં થોરીમાં અભ્યાસ અને ખોદકામ શરૂ કરવાની યોજના બનાવી છે. જુદા જુદા પક્ષોના નેપાળના ઘણા ટોચના રાજકીય નેતાઓએ ઓલીની "અવાસ્તવિક અને અપ્રસ્તુત" ટિપ્પણી પાછી લેવા કહ્યું છે જેમાં ઓલીએ કહ્યું હતું કે ભગવાન રામનો જન્મ બીરગંજ નજીક થોરીમાં થયો હતો અને અસલી અયોધ્યા નેપાળમાં છે.

એમાં હવે નેપાળની આર્કિઓલોજી સર્વે ઑફ નેપાળ પણ જોડાયું છે, આ વિભાગ બિરગંજના થોરીમાં પુરાતત્ત્વીય અભ્યાસ શરૂ કરવાની સંભાવના અંગે ચર્ચા કરવા વિવિધ મંત્રાલયો સાથે ઘણી બેઠકો કરી રહ્યો છે. 

બીજીબાજુ વિપક્ષ 'નેપાળી કોંગ્રેસે' અયોધ્યા અંગે ઓલીના વિવાદિત નિવેદનોની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે તેઓ દેશ પર શાસન કરવા માટે "નૈતિક અને રાજકીય આધાર ગુમાવી ચૂક્યા છે". નોંધનીય વાત એ છે કે ઓલીને પહેલાથી જ તેમની પોતાની પાર્ટીના નેતાઓના સખત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, જેઓ તેમની કામગીરીની શૈલી અને ભારત વિરોધી અગાઉના નિવેદનોને લઈને રાજીનામા માટે દબાણ કરી રહ્યા છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZJt7xT 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version