Site icon News Continuous Bureau | Mumbai

દેશના બીજા સીડીએસ તરીકે નરવણે સિવાય આ વ્યક્તિનું નામ મોખરે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ. 11 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર

બિપિન રાવતના નિધન બાદ દેશના નવા CDSની નિમણૂકને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. રેસમાં નેવી ચીફ આર હરિકુમાર અને આર્મી ચીફ એમએમ નરવણે આગળ છે. મીડિયા રિપોર્ટ્‌સમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે નેવી ચીફ આર હરિ કુમારનો દાવો સૌથી મજબૂત લાગે છે. તેની પાછળનું કારણ એ છે કે ગત વખતે સીડીએસ સેનામાંથી જ બનાવવામાં આવ્યા હતા. તેથી આ વખતે સેનામાંથી બને તેવી શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં નવા સીડીએસની નિમણૂક નૌકાદળ અથવા વાયુસેનામાંથી થવાની શક્યતા વધુ છે. તેની પાછળનું બીજું કારણ એ છે કે આર હરિ કુમાર નેવી ચીફ બનતા પહેલા સીડીએસ જનરલ બિપિન રાવત સાથે ડેપ્યુટી સીડીએસ તરીકે કામ કરી ચૂક્યા છે. આ સ્થિતિમાં આ અનુભવ તેમના માટે પણ ઉપયોગી થઈ શકે છે. ૫૯ વર્ષીય હરિ કુમાર તાજેતરમાં નેવી ચીફ બન્યા છે અને તેઓ ૬૨ વર્ષની ઉંમર સુધી સેવા આપી શકે છે. સીડીએસ ૬૩ વર્ષ માટે પોસ્ટ કરી શકાય છે. આ સ્થિતિમાં જ્યારે સીડીએસ બનાવવામાં આવશે ત્યારે તેમને પૂરતો સમય મળશે. આ સિવાય આર્મી ચીફ જનરલ નરવણેની ઉંમર ૬૧ વર્ષ છે. તેઓ આવતા વર્ષે એપ્રિલમાં નિવૃત્ત થશે. તેથી જ તેઓ સીડીએસની રેસમાં મુખ્ય દાવેદાર પણ માનવામાં આવે છે. જાે જનરલ નરવણેને સીડીએસ બનાવવામાં આવે છે, તો તેઓ લગભગ એક વર્ષ સુધી આ પદ પર કામ કરી શકે છે. આ સિવાય એરફોર્સ ચીફ વીઆર ચૌધરીને પણ સીડીએસ પદના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે સરકાર ટૂંક સમયમાં સીડીએસ અંગે ર્નિણય લઈ શકે છે. કારણ કે આ પોસ્ટને લાંબા સમય સુધી ખાલી રાખી શકાય નહીં. ડેપ્યુટી સીડીએસ તરીકે કાર્યરત એર માર્શલ બી. આર કૃષ્ણાને પણ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર, ઝ્રડ્ઢજી બનવા માટે ૪ સ્ટાર જનરલ હોવું જરૂરી છે. જે ત્રણેય સેનાના વડા હોય છે. ઉપરાંત, જે અધિકારી ૪ સ્ટાર જનરલ બનવા માટે લાયક છે તેની નિમણૂક માટે પણ વિચારણા કરી શકાય છે.ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં અકાળે અવસાન થયું છે. તેમનું હેલિકોપ્ટર તમિલનાડુના નીલગીરી જિલ્લાના કુન્નુરમાં અકસ્માતનો ભોગ બન્યું હતું. તેમાં ૧૪ લોકો હતા જેમાંથી ૧૩ના મોત થયા હતા. જેમાં બિપિન રાવતની પત્નીનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર વ્યક્તિ છે જે આ અકસ્માતમાં બચી ગયા છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.

મુંબઈમાં ઓમીક્રોન વાયરસના વધુ ત્રણ દર્દીઓ મળી આવ્યા. કુલ સંખ્યા પાંચ થઈ. મહાનગરપાલિકા ચિંતીત.

IIT Invention Morphing Aircraft Wings એવિએશન ક્ષેત્રે મોટો બદલાવ, હવામાં પક્ષીની જેમ પાંખોનો આકાર બદલી શકશે વિમાન IIT કાનપુરના વૈજ્ઞાનિકોની ક્રાંતિકારી શોધ
Amit Shah On UCC Implementation અમિત શાહનું મોટું એલાન ૨૦૨૯ સુધીમાં દેશના આટલા રાજ્યોમાં લાગુ થશે UCC, NDA શાસિત રાજ્યોમાં તડામાર તૈયારીઓ
China Reduces Troops Along LAC સરહદે ભારતની મક્કમતા સામે ડ્રેગન બેકફૂટ પર! LAC પર ચીને સૈન્ય જમાવડો ઘટાડ્યો; ભારતીય સેનાના દબાણ બાદ ડિસએન્ગેજમેન્ટ તેજ
PM Modi Indian Women Cricket Team એશિયા કપ ચેમ્પિયન બની ભારતીય ટીમ પીએમ મોદીએ પાઠવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ, કહ્યું આ સફળતા દેશની રમતગમત ક્રાંતિને નવી દિશા આપશે
Exit mobile version