Site icon

ન્યુઝીલેન્ડમાં નો મોર લોકડાઉન; તમામ પ્રતિબંધ દુર 17 દિવસમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

8 જુન 2020

ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 17 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, આથી આજ રાતથી ત્યાં તમામ પ્રતિબંધો હટી જશે.

ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસની નાબુદી બાદ આજે અડધી રાતથી લૉકડાઉન સંપૂર્ણ  રીતે હટાવી લેવાશે. સોમવારે ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસના છેલ્લા એક્ટિવ દર્દીને ડિસ્ચાર્જ કર્યા બાદ હવે અધિકારીઓએ આ નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ ના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા 17 દિવસમાં કોરોના વાયરસનો એકપણ કેસ સામે આવ્યો નથી.  એક મહિલા છેલ્લી કોરોના વાયરસની દર્દી હતી પરંતુ તેમાં પણ છેલ્લા 48 કલાકમાં કોઈ પણ લક્ષણ સામે આવ્યા નથી.

ન્યૂઝીલેન્ડ ના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડેને જાહેરાત કરી છે કે તેમનો દેશ હવે લેવલ-1 એલર્ટથી આગળ વધશે. આથી સોમવારે અડધી રાતથી, અગાઉ લાગુ કરાયેલા તમામ પ્રતિબંધો દૂર થઈ જશે. અને હવે જો ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસનો એકપણ મામલો સામે ન આવે તો આગામી સપ્તાહે દેશને કોરોના વાયરસથી મુક્ત જાહેર કરી દેવાશે. આશરે 50 લખની વસ્તી વાળા આ દેશમાં કુલ 1504 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા અને 22 લોકોના મૃત્યુ થયા છે…

Bomb Threat to 9 Schools in Delhi: દિલ્હીની 9 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: મેનેજમેન્ટમાં મચ્યો ફફડાટ, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ
Pappu Yadav Health: ધરપકડ બાદ પપ્પુ યાદવની તબિયત બગડી, IGIMS થી પટનાની PMCH હોસ્પિટલમાં કરાયા શિફ્ટ.
PM Modi on US Trade Deal: PM મોદી અને ટ્રમ્પની દોસ્તીનો નવો અધ્યાય! ટ્રેડ ડીલ બાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો આનંદ, વિશ્વના સૌથી મોટા વેપારી કરાર પર કહી આ મોટી વાત
Yamuna Expressway Accident: મથુરામાં કાળમુખા કન્ટેનરે મુસાફરોને કચડ્યા: યમુના એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત.
Exit mobile version