ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
26 જાન્યુઆરી 2021
આંદોલનકારી ના સ્વાંગમાં ધાંધલ ધમાલીયા ઓ દિલ્હીમાં પ્રવેશ કરી ચુક્યા છે. ખેડૂતોના નામ પર પોલીસ પર હુમલો કરી રહ્યા છે. આજે ગણતંત્ર દિવસના ઉપલક્ષ્યમાં જે તસવીરો સામે આવી છે તે ચોંકાવનારી છે.
તોફાને ચડેલા ખેડૂતો સામે પોલીસે ગાંધીગીરી કરી અને તેઓ જમીન પર બેસી ગયા. જાણે કે ગાંધીજીના માર્ગ પર આંદોલન કરી રહ્યા હોય.
બીજી તરફ નિઃસહાય પોલીસને આંદોલનકારીઓએ માર માર્યો હતો. પોલીસ ની ધુલાઈ કરી હતી.
એક વધુ દ્રશ્ય સામે આવ્યું છે જેમાં તલવાર લઈને પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થઈ છે.
