Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય અર્થવ્યવસ્થા ને આર્થીક પેકેજ નો બીજો ડોઝ આજે આપવામાં આવ્યો હતો, અર્થ મંત્રી નિર્મલા સીતારામને આજે જે જાહેરાતો કરી તે નીચે મુજબ છે….

GST Council Meeting-No tax increase on any item

આતૂરતાનો અંત / બજેટ પહેલા સરકારે કરી મોટી જાહેરાત, આ વસ્તુ પર ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

14 મે 2020

પ્રધાનમંત્રીના 20 લાખ કરોડના પેકેજ નો પેકેજમાંથી આજે ચાર લોકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે જેમાં પ્રવાસી-પરપ્રાંતિય મજૂરો, રસ્તા ઉપર બેસતા ફેરિયાઓ, એકદમ નાના વેપારીઓ, સ્વ રોજગાર કરતા અને નાના ખેડૂતોની આર્થિક સ્થિતિ પર વધુ ભાર આપવામાં આવ્યો છે. . . .

@ કૃષિ માટે રાજ્યોને અલગ થી 6000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે

@ 25 લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડ અપાયા

@ 3 કરોડ ખેડૂતોને કૃષિ લોનમાં છૂટ અને 31 મેં સુધી વ્યાજમાં છૂટ આપવામાં આવી છે.

@ કૃષિ ક્ષેત્ર માટે 86600 કરોડ રૂપિયાની લોન

@ નાબાર્ડે 29500 કરોડ રૂપિયાની ગ્રામીણ લોકોને મદદ કરી 

@ SDRFના માધ્યમથી 11 હજાર કરોડની મદદ કરવામાં આવી 

@ બેઘર લોકોને શેલ્ટર હોમમાં રાખી ત્રણ ટાઈમ ભોજનની વ્યવસ્થા કરાઈ હતી

@ ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે 4200 કરોડ ફાળવ્યા

@ મનરેગા હેઠળ 2.33 કરોડ શ્રમિકોને કામ આપ્યું

@ મનરેગા હેઠળ દૈનિક મજૂરી 182 રૂપિયાથી વધારી 202 કરાઈ 

@ અત્યાર સુધીમાં 10 હજાર કરોડનો ખર્ચ કરાયો 

@ 12000 સેલ્ફ હેલ્પ ગ્રુપે 3 કરોડ માસ્કનું ઉત્પાદન કર્યું 

@ ન્યુનતમ વેતન મજૂરીનો ભેદભાવ દૂર કરી આખા દેશમાં એકજ વેતન લાગુ કરાશે.

@ મજૂરોનું વર્ષમાં એક વખત મેડિકલ ચેકઅપ થશે 

@ તમામ મજૂરોને ESIC હેઠળ આવરી લેવાશે 

@ પરપ્રાંતિય શ્રમિકોને 2 મહિના માટે મફત અનાજ અપાશે

@ કાર્ડ હોય તેમને પણ 5 કિલો ઘઉં અથવા ચોખા અપાશે 

@ કાર્ડ ન હોય તેમને વ્યકિતદીઠ ૧ કિલો કઠોળ અપાશે જેનો 8 કરોડ પરપ્રાંતીય શ્રમિકોને લાભ મળશે 

@ રાશનકાર્ડ પોર્ટેબિલીટીને અપાઈ મંજૂરી 

@ 'વન નેશન, વન રાશન' યોજનાની જાહેરાત 

@ દરેક રાજ્યમાં માન્ય રહેશે આ રાશનકાર્ડ 

@ પ્રવાસી શ્રમિકોને ઓછા ભાવે ઘર મળે તે માટે આયોજન કરાશે 

@ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ વ્યવસ્થા કરાશે 

@ ફેરિયાઓ માટે સ્પેશ્યલ સ્કીમ લાગુ કરાશે, 50 લાખ ફેરિયાઓ માટે 5000 કરોડની સ્પેશ્યલ ક્રેડિટ ફેસિલિટી આપવામાં આવશે.

@ફેરિયાઓને ફરીથી ધંધો શરુ કરવા માટે 10000 સુધીની રકમ આપવામાં આવશે

@ મધ્યમ આવકવાળા પરિવારો માટે પોષણક્ષમ આવાસ યોજના, રૂ. 6 લાખથી રૂ.18 લાખ સુધીની વાર્ષિક આવક વાળા માટે આ યોજના માર્ચ 2021 સુધી લંબાવાશે: 

@ 30,000 કરોડ રૂપિયાના વધારાના ઇમરજન્સી વર્કિંગ કેપિટલ ફંડ, નાબાર્ડ દ્વારા, 3 કરોડ ખેડુતોને લાભ મળશે..

Old Currency Notes Rumor Debunked શું ૨૦૦૫ પહેલાની ચલણી નોટો બંધ થઈ રહી છે? બેંક ઓફ મહારાષ્ટ્રની મોટી સ્પષ્ટતા
Income Tax Notice to Student મજૂરની પુત્રીને ઈન્કમ ટેક્સ વિભાગની ૨૦ કરોડની નોટિસ આધારપાન કાર્ડનો દુરુપયોગ થયાનો આક્ષેપ
Muzhiyan Kulam Restoration પુડુચેરીનું 400 વર્ષ જૂનું ‘મુઝિયાન કુલમ’ ફરી જીવંત, નિર્મલા સીતારમણે કર્યું લોકાર્પણ
New Toll Tax Rules વાહનચાલકો માટે મોટી રાહત, હાઈવે પર હવે 60 કિમી સુધી નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ
Exit mobile version