Site icon

Niti Aayog : નીતિ આયોગે “ડિઝાઈનિંગ અ પોલિસી ફોર મિડિયમ એન્ટરપ્રાઈઝીસ” પર અહેવાલ બહાર પાડ્યો

Niti Aayog : આ અહેવાલ મધ્યમ ઉદ્યોગો દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ, છતાં અંડર-લીવરેજ્ડ ભૂમિકાને પ્રકાશિત કરે છે અને તેમની સંપૂર્ણ ક્ષમતાને અનલૉક કરવા માટે લક્ષિત હસ્તક્ષેપોની રૂપરેખા આપે છે.

NITI Aayog rolls out 6-point road map for transforming India’s medium enterprises

NITI Aayog rolls out 6-point road map for transforming India’s medium enterprises

News Continuous Bureau | Mumbai 

Niti Aayog : 

Join Our WhatsApp Community
  • મધ્યમ ઉદ્યોગો ભવિષ્યના મોટા ઉદ્યોગો છે અને વિકસિત ભારત @2047ના ડ્રાઇવરો છે
  • એમએસએમઇ ક્ષેત્ર ભારતના જીડીપીમાં 29% ફાળો આપે છે અને 60%થી વધુ કાર્યબળને રોજગારી આપે છે
  • મધ્યમ ઉદ્યોગો, જોકે MSMEના માત્ર 0.3% છે, MSME નિકાસમાં 40% ફાળો આપે છે, જે અપાર વણસ્પર્શી સંભાવના દર્શાવે છે
  • અનુકૂળ નાણાકીય સાધનો, ટેકનોલોજી એકીકરણ અને ઉદ્યોગ 4.0, ક્લસ્ટર-આધારિત પરીક્ષણ સુવિધાઓ, સંશોધન અને વિકાસ, કૌશલ્ય વિકાસ અને કેન્દ્રિય ડિજિટલ પોર્ટલ પર ધ્યાન કેન્દ્રિત

નીતિ આયોગે આજે “ડિઝાઈનિંગ અ પોલિસી ફોર મિડિયમ એન્ટરપ્રાઈઝીસ” શીર્ષક સાથેનો એક અહેવાલ બહાર પાડ્યો, જે મધ્યમ ઉદ્યોગોને ભારતના અર્થતંત્રના ભાવિ વિકાસ એન્જિનમાં રૂપાંતરિત કરવા માટે એક વ્યાપક રોડમેપ ઓફર કરે છે. આ અહેવાલ મધ્યમ ઉદ્યોગો દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ, છતાં અંડર-લીવરેજ્ડ ભૂમિકાને પ્રકાશિત કરે છે અને તેમની સંપૂર્ણ ક્ષમતાને અનલૉક કરવા માટે લક્ષિત હસ્તક્ષેપોની રૂપરેખા આપે છે. આ અહેવાલ નીતિ આયોગના વાઇસ ચેરમેન શ્રી સુમન બેરી દ્વારા નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. સારસ્વત અને નીતિ આયોગના સભ્ય ડૉ. અરવિંદ વિરમાણીની હાજરીમાં રજૂ કરવામાં આવ્યો હતો.

આ અહેવાલ MSME ક્ષેત્રની માળખાકીય વિકૃતિઓનો અભ્યાસ કરે છે, જે ભારતના GDPમાં આશરે 29% ફાળો આપે છે, નિકાસમાં 40% હિસ્સો ધરાવે છે અને 60% થી વધુ કાર્યબળને રોજગારી આપે છે. તેની મહત્વપૂર્ણ ભૂમિકા હોવા છતાં, આ ક્ષેત્રની રચના અપ્રમાણસર રીતે ભારિત છે: રજિસ્ટર્ડ MSME માંથી 97% સૂક્ષ્મ સાહસો છે, 2.7% નાના છે, અને માત્ર 0.3% મધ્યમ સાહસો છે.

જો કે, આ 0.3% મધ્યમ સાહસો MSME નિકાસમાં લગભગ 40% ફાળો આપે છે, જે સ્કેલેબલ, નવીનતા-આધારિત એકમો તરીકે તેમની અપ્રચલિત ક્ષમતા પર ભાર મૂકે છે. આ અહેવાલ વિકસિત ભારત @2047 હેઠળ સ્વ-નિર્ભરતા અને વૈશ્વિક ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા તરફ ભારતના સંક્રમણમાં મધ્યમ ઉદ્યોગોને વ્યૂહાત્મક અભિનેતાઓ તરીકે ઓળખે છે.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Dahod Visit : ગુજરાતના દાહોદમાં 24,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને સમર્પિત કર્યા

આ અહેવાલ મધ્યમ ઉદ્યોગો દ્વારા સામનો કરવામાં આવતા મુખ્ય પડકારો પર ભાર મૂકે છે, જેમાં અનુરૂપ નાણાકીય ઉત્પાદનોની મર્યાદિત પહોંચ, અદ્યતન તકનીકોનો મર્યાદિત સ્વીકાર, અપૂરતી સંશોધન અને વિકાસ સહાય, ક્ષેત્રીય પરીક્ષણ માળખાનો અભાવ અને તાલીમ કાર્યક્રમો અને સાહસોની જરૂરિયાતો વચ્ચે મેળ ખાતો નથી. આ મર્યાદાઓ તેમની સ્કેલ અને નવીનતા કરવાની ક્ષમતાને અવરોધે છે.

આ મુદ્દાઓને સંબોધવા માટે, અહેવાલ છ પ્રાથમિકતા ક્ષેત્રોમાં લક્ષિત હસ્તક્ષેપો સાથે એક વ્યાપક નીતિ માળખાની રૂપરેખા આપે છે:

અહેવાલમાં ભાર મૂકવામાં આવ્યો છે કે મધ્યમ ઉદ્યોગોની સંભાવનાને અનલૉક કરવા માટે સમાવિષ્ટ નીતિ ડિઝાઇન અને સહયોગી શાસન તરફ પરિવર્તનની જરૂર છે. નાણાં, ટેકનોલોજી, માળખાગત સુવિધા, કૌશલ્ય અને માહિતી ઍક્સેસમાં વ્યૂહાત્મક સમર્થન સાથે, મધ્યમ ઉદ્યોગો નવીનતા, રોજગાર અને નિકાસ વૃદ્ધિના ચાલક તરીકે ઉભરી શકે છે. આ પરિવર્તન Viksit Bharat @2047ના વિઝનને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Rajya Sabha Election 2026: મોટો પલટવાર! રાજ્યસભામાં વિપક્ષી ગઢમાં ગાબડું? લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ; જાણો કોની ખુરશી જોખમમાં.
Jio Frames AI Glasses: સ્માર્ટફોનનો જમાનો જશે? જિયોના એઆઈ ગ્લાસમાં છુપાયેલા છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય; જુઓ આ વાયરલ ગેજેટ
Cashless Toll Plaza: 1 એપ્રિલથી ટોલ પ્લાઝા સંપૂર્ણ કેશલેસ: હવે રોકડ વ્યવહાર બંધ, માત્ર ફાસ્ટેગ અથવા UPIથી જ ચૂકવણી થશે.
Jio New Plan: ₹365માં ડેટા, કોલિંગ અને ફ્રી OTT; જાણો વેલિડિટી અને ફાયદાની સંપૂર્ણ વિગત.
Exit mobile version