Site icon News Continuous Bureau | Mumbai

કોરોના વાયરસના વધતા જતા સંક્ર્મણને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરીની રથયાત્રા પર રોક લગાવી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

18 જુન 2020

સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસને કારણે ભગવાન જગન્નાથ પુરીની રથયાત્રા પર રોક લગાવી દીધી છે. સાથે  ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે રથયાત્રાને લગતી તમામ પ્રવૃત્તિઓ અટકાવી દીધી હતી. કોર્ટે કહ્યું – 'જો અમે આ વર્ષે  યાત્રાની મંજૂરી આપીશું તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે'. 'ખંડપીઠે તેના આદેશમાં કહ્યું, "નાગરિકોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને આ વર્ષે રથયાત્રાને મંજૂરી આપી શકાય નહીં." ખંડપીઠે સોલિસિટર જનરલ તુષાર મહેતાની વિનંતી પણ નકારી દીધી કારણ કે મંદિરના મેનેજમેન્ટે તેમને અમુક ધાર્મિક વિધિઓ કરવા દેવા માટે નિયમોનું પાલન કરવું જોઈએ. વધુમાં સીજેઆઈએ કહ્યું, 'અમને આવા કિસ્સાઓમાં અનુભવ છે. જો અમે થોડી રાહત આપીશું, તો પણ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થશે. તેથી, અમે આ વર્ષે આવું થવા દેશું નહીં. હકીકતમાં, કોર્ટ ઓડિશા ડેવલપમેન્ટ કાઉન્સિલ એનજીઓ દ્વારા દાખલ કરેલી પીઆઈએલ પર સુનાવણી કરી રહી હતી. આ અરજી દ્વારા કોર્ટને કહેવામાં આવ્યું હતું કે 'રથયાત્રા', અક્ષય તૃતીયા અને સ્નન પૂર્ણિમા જેવી બધી વિધિઓને ઓડિશા સરકાર દ્વારા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે લાખો લોકોને રથયાત્રામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે તેવી સંભાવના પણ છે. નોંધનીય છે કે ગયા વર્ષે 10 લાખથી વધુ લોકોએ તેમાં ભાગ લીધો હતો અને જો આ વર્ષે પણ આવું થાય તો તેનું પરિણામ ભયંકર આવશે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Gen Z Outreach Team Gen Z સાથે જોડવા માટે BJPએ બનાવી ‘સૂપર ૫’ સ્પેશિયલ ટીમ, સ્મૃતિ ઈરાની ઉપરાંત કોણકોણ સામેલ? જાણો
Air Travel Update એર ટ્રેવલ થશે વધુ સરળ આ તારીખથી ભારતીય એરપોર્ટ પર બંધ થશે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રથા.
Vande Mataram Controversy વંદે માતરમ વિવાદ પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના નિર્ણય સામે ભાજપે ભડકીને પાસ કર્યો મોટો પ્રસ્તાવ!
INS Mangrool Delivery કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત ત્રીજું એન્ટિસબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ‘માંગરોળ’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું
Exit mobile version