Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસને મળશે નવા અધ્યક્ષ- રાહુલ ગાંધી પોતાની વાત પર અડગ- હવે આ વ્યક્તિ બની શકે છે પાર્ટીના અધ્યક્ષ

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ(Congress) પ્રમુખ પદની ચૂંટણી(Presidential election) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી પ્રમુખ પદની ઉમેદવારી(Candidacy for the post of President) અંગે રાજકીય વર્તુળમાં(political circle) વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. 

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાજસ્થાનના મુખ્યમંત્રી(Chief Minister of Rajasthan) અશોક ગેહલોતે(Ashok Gehlot) એલાન કર્યું છે કે તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. અશોક ગેહલોતે કહ્યું કે હું ચૂંટણી લડીશ એ નક્કી છે અને આગામી સમયમાં નામાંકન ભરીશ, દેશની હાલની જે પરિસ્થિતિ છે તેને જોતાં વિપક્ષ ખૂબ મજબૂત હોવો જરૂરી છે.

આ સમાચાર પણ વાંચો : PM-CARES Fund – રતન ટાટા સહિત ઘણા દિગ્ગજ લોકો ટ્રસ્ટી બન્યા 

દરમિયાન અશોક ગેહલોતે ચૂંટણી લઈને ગાંધી પરિવારની(Gandhi family) ભૂમિકા પર પણ ખુલાસો કર્યો હતો, તેમણે કહ્યું મેં ઘણીવાર રાહુલ ગાંધીને(Rahul Gandhi) અધ્યક્ષ બનવા માટે પ્રસ્તાવ આપ્યો હતો પણ તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે ગાંધી પરિવારમાંથી કોઈ જ ચૂંટણી લડશે નહીં.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડી દેવાયું છે. આ સાથે જ દેશના સૌથી જૂના રાજકીય પક્ષનું સર્વોચ્ય પદ સંભાળનારી વ્યક્તિને પસંદ કરવા માટેની ચૂંટણી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે.

Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Amarnath Yatra Temporarily Suspended અમરનાથ યાત્રા કામચલાઉ ધોરણે સ્થગિત, આ કારણે જમ્મુથી યાત્રાળુઓની રવાનગી અટકાવાઈ
Exit mobile version