Site icon News Continuous Bureau | Mumbai

બ્રિટનનો કાયદો વિજય માલ્યાની તરફેણમાં; કહ્યું ‘નિશ્ચિત સમયમાં અમે માલ્યાને ભારતને નહીં સોંપી શકીએ’.. જાણો વિગત.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

24 જુલાઈ 2020

બ્રિટીશ કાયદાનો હવાલો આપી યુકેના રાજદૂતે વિજય માલ્યા સંદર્ભે મહત્વનું બયાન આપ્યું છે. ભારતમાં એસબીઆઇ સહિત અનેક બેંકોના 9 હજાર કરોડ રૃપિયાથી વધુ રકમ લઇને ફરાર થઇ ગયેલા વિજય માલ્યાના પ્રત્યાર્પણ મુદ્દે બ્રિટને કહ્યું કે "આ અંગે કોઇ નિશ્ચિત સમય મર્યાદા આપી શકાય તેમ નથી. કારણકે કેસ હજુ લંડનની કોર્ટમાં ચાલે છે " ભારતમાં નિયુક્ત હાઇ કમિશનર સર ફિલિપ બાર્ટોને જણાવ્યું કે "અપરાધીઓ ભલે રાષ્ટ્રીય સરહદ પાર કરીને દેશ બહાર ભાગી જાય પરંતું, ન્યાયપાલીકાથી બચી શકશે નહીં." વધુમાં કહ્યું કે "માલ્યાના પ્રત્યાર્પણનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને બ્રિટનની સરકારે આ અંગે કોઇ નવો નિર્ણય લીધો નથી. સાથે જ જણાવ્યું કે "બ્રિટનની સરકાર એ વાતથી વાકેફ છે કે આ કેસ ભારત માટે કેટલો મહત્ત્વપૂર્ણ છે." 

ઉલ્લેખનીય છે કે ગયા મહિને ભારતે, બ્રિટનને અપીલ કરી હતી કે "વિજય માલ્યા ની યુ.કે માં શરણ માંગવાની કોઇ અપીલ પર ઈંગ્લેન્ડએ વિચાર કરવો જોઇએ નહીં. કારણકે, ભારતમાં તેમના પર દમન ગુજારવામાં આવશે! તેવા કોઇ પુરાવા તેમની પાસે નથી. ભારતમાં સજાથી બચવા માટેની આ એક ચાલ માત્ર છે."

આમ ત્યાંના કાયદા નો હવાલો આપી બ્રિટનની સરકારે સંકેત આપ્યા છે કે "માલ્યાને નજીકના ભવિષ્યમાં ભારતને સોંપવામાં આવે એની શક્યતા બહુ જ ઓછી છે કેમકે આ એક કાયદાકીય મુદ્દો છે." થોડા દિવસો અગાઉ લાગતજ હતું કે એક મહિનાની અંદર વિજય માલ્યા ભારત આવી જશે પરંતુ હવે નજીકના ભવિષ્યમાં સરકારી એજન્સી ઓ ભારત લાવી શકે એવી શક્યતા ઓછી લાગી રહી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2OOngkt  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Indian Spice Exports ચીનની ચાલબાજી અને યુધ્ધની અસરથી મસાલાની નિકાસ રૂંધાઇ
India Oman Trade Corridor હોર્મુઝ (Hormuz) પર નિર્ભરતાનો અંત ૩૦ વર્ષથી અટકેલો પ્રોજેક્ટ હવે થશે સાકાર, ગુજરાતથી ઓમાન સુધી ભારત રચી રહ્યો છે નવો ઈતિહાસ
India–Pakistan conflict PoKમાં માનવતા મરી પરવારી પાક આર્મીના અત્યાચાર પર ભારતની લાલ આંખ, ‘દુનિયા જોઈ રહી છે, ઇન્સાફ થશે’
El Niño 2026 Alert૨૦૨૬માં આવી રહ્યો છે સૌથી ભયાનક ‘અલ નીનો’ (El Niño) પેસિફિક મહાસાગરનું તાપમાન ૩.૫ ડિગ્રી સેલ્સિયસ (3.5°C) સુધી ઉકળશે!
Exit mobile version