Site icon News Continuous Bureau | Mumbai

Padma Awards 2025: પદ્મ પુરસ્કાર-2025 માટે નામાંકન શરૂ

Padma Awards 2025: પ્રજાસત્તાક દિન, 2025ના પ્રસંગે જાહેર થનારા પદ્મ પુરસ્કારો 2025 માટે આજથી ઓનલાઇન નામાંકન / ભલામણો શરૂ થઈ ગઈ છે. પ

Nominations open for Padma Award-2025

Nominations open for Padma Award-2025

News Continuous Bureau | Mumbai 

Padma Awards 2025: પ્રજાસત્તાક દિન, 2025ના પ્રસંગે જાહેર થનારા પદ્મ પુરસ્કારો 2025 માટે આજથી ઓનલાઇન નામાંકન / ભલામણો શરૂ થઈ ગઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2024 છે. પદ્મ પુરસ્કાર માટેના નામાંકનો/ભલામણો રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (https://awards.gov.in) પર ઓનલાઇન પ્રાપ્ત થશે.. 

Join Our WhatsApp Channel

પદ્મ વિભૂષણ ( Padma Vibhushan ) , પદ્મભૂષણ ( Padma Bhushan ) અને પદ્મશ્રી ( Padma shri ) નામના પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. 1954માં સ્થપાયેલા આ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે કરવામાં આવે છે. આ પુરસ્કાર ‘વર્ક ઓફ ડિસ્ટિંક્શન’ને માન્યતા આપવાનો આશય ધરાવે છે અને કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, ચિકિત્સા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને ઇજનેરી, જાહેર બાબતો, નાગરિક સેવા, વેપાર અને ઉદ્યોગ વગેરે જેવા તમામ ક્ષેત્રો/શાખાઓમાં વિશિષ્ટ અને અપવાદરૂપ સિદ્ધિઓ/સેવા માટે આપવામાં આવે છે. જાતિ, વ્યવસાય, પદ અથવા જાતિના તફાવત વિનાની તમામ વ્યક્તિઓ આ પુરસ્કારો માટે પાત્ર છે. ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો સિવાય પીએસયુમાં કામ કરતા લોકો સહિત સરકારી કર્મચારીઓ પદ્મ પુરસ્કારો માટે લાયક નથી.

સરકાર પદ્મ પુરસ્કારોને “પીપલ્સ પદ્મ”માં પરિવર્તિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આથી તમામ નાગરિકોને સ્વ-નામાંકન સહિત ( nomination ) નામાંકન/ભલામણો કરવા વિનંતી છે. મહિલાઓ, સમાજના નબળા વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ વ્યક્તિઓ અને જેઓ સમાજની નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે, તેમનામાંથી જેમની ઉત્કૃષ્ટતા અને સિદ્ધિઓ ખરેખર લાયક છે, તેમને ઓળખવા માટે નક્કર પ્રયાસો કરી શકાય તેમ છે.

આ સમાચાર પણ વાંચો :  AC Gas Leakage: શું તમારા ACનું બીલ અચાનક વધી ગયું છે? જુઓ ક્યાંક ગેસ લીકેજનો તો સંકેત નથી ને.. મોટું નુકસાન થતાં પહેલા ઓળખી લો..

નોમિનેશન્સ/ભલામણોમાં ઉપરોક્ત પોર્ટલ પર ઉપલબ્ધ ફોર્મેટમાં ઉલ્લેખિત તમામ પ્રસ્તુત વિગતો સામેલ હોવી જોઈએ, જેમાં વર્ણનાત્મક સ્વરૂપે પ્રશસ્તિપત્ર (મહત્તમ 800 શબ્દો) સામેલ હોવા જોઈએ, જે સ્પષ્ટપણે તેના સંબંધિત ક્ષેત્ર/શિસ્તમાં ભલામણ કરાયેલી વ્યક્તિની વિશિષ્ટ અને અપવાદરૂપ સિદ્ધિઓ/સેવાને ઉજાગર કરે છે.

આ અંગેની વિગતો ગૃહ મંત્રાલયની વેબસાઇટ (https://mha.gov.in) પર ‘એવોર્ડ્સ એન્ડ મેડલ્સ’ શીર્ષક હેઠળ અને પદ્મ પુરસ્કાર પોર્ટલ પર (https://padmaawards.gov.in ) પણ ઉપલબ્ધ છે. આ પુરસ્કારોને લગતા કાયદા અને નિયમો લિંક સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ છે https://padmaawards.gov.in/AboutAwards.aspx .

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Advanced GNSS Jammers ભારતીય નેવીની તાકાતમાં વધારો, ડિફેન્સ મિનિસ્ટ્રીએ આધુનિક Advanced GNSS Jammers માટે કર્યો મોટો કરાર.
CongressTMC Merger Offer કોંગ્રેસTMC વિલયની ઓફર સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને આપી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદની મોટી ઓફર
The Hidden Cost Of The West Asia War પશ્ચિમ એશિયાના યુદ્ધની ભારત પર છુપી અસર સબસિડીનું ભારણ વધતા સરકારની ચિંતા વધી..
PM Modi’s Global Influence ભારતની બદલાતી તસવીર, મોદીના નેતૃત્વમાં વિશ્વમાં વધ્યો દેશનો દબદબો; સાઉદી અરેબિયાથી લઈને ફ્રાન્સ સુધી ગુંજ્યું મોદીનું નામ.
Exit mobile version