Site icon

સારા સમાચાર.. દેશમાં જો લાંબા સમય સુધી થઈ વીજળી ગુલ, તો ગ્રાહકોને મળશે વળતર.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

23 ડિસેમ્બર 2020 

બધાને અનુભવ છે કે દિવસના કોઈપણ સમયે વીજળી જતી રહેતી હોય છે. પરંતુ, હવે દેશના દરેક ઘરને 24 કલાક વીજ  મળશે. કેન્દ્રએ નવા નિયમો બહાર પાડ્યા છે જેમાં કહ્યું છે કે અવિરત વીજ પુરવઠો મળી શકે જ નહીં એવો પૂર્વગ્રહ ગ્રાહકો સેવે છે. આથી હોવી જો લાંબા સમય સુધી વીજળી ગુલ થશે તો સંબંધિત વીજ વિતરણ કંપનીને મોટો દંડ કરવામાં આવશે અને ગ્રાહકને વળતર આપવું પડશે. 

ગ્રાહકોના હકને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે વીજળી નિયમો, 2020 જારી કર્યા છે. તદનુસાર, વીજ ગ્રાહકોને નવા અથવા હાલના જોડાણોમાં સુધારણા, મીટરિંગ સિસ્ટમ, બિલિંગ અને ચુકવણી સહિતના કેટલાક અન્ય અધિકારો આપવામાં આવ્યા છે. પાવર કંપનીઓએ ગ્રાહકોને દિવસના 24 કલાક વીજળી પહોંચાડવી જરૂરી છે. હાલમાં, કૃષિ સહિત કેટલાક વિશેષ જોડાણોના ગ્રાહકોને ઓછો વીજ પુરવઠો મળશે. સપ્ટેમ્બરમાં ઉર્જા મંત્રાલયે ડ્રાફ્ટ નિયમો જારી કર્યા હતા. તેને 100 થી વધુ સૂચનો મળ્યા. આ સુચનોને આધારે સરકારે અંતિમ નિયમો બનાવ્યા. આ નિયમોના અમલથી વીજ કંપનીઓની માનમણીનો અંત આવશે, એમ કેન્દ્ર સરકારનું કહેવું છે. 

જો વીજ કંપનીઓ ગ્રાહકોને 24 કલાક સેવાઓ પૂરી પાડતી નથી, તો તે કંપનીઓ ગ્રાહકોને વળતર ચૂકવવા માટે બંધાયેલી રહેશે. આ વળતર સીધા ગ્રાહકના બેંક ખાતામાં જમા થશે. વળતરની રકમ નક્કી કરવા માટે નિયમનકારી આયોગ જવાબદાર છે..

Supreme Court Judgment: મિલકતના કાયદામાં મોટો ફેરફાર: સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું નિરીક્ષણ- ‘ભાડૂત ક્યારેય માલિકી હક દાવો કરી શકે નહીં’, જાણો સમગ્ર ચુકાદો.
Vande Mataram: વંદે માતરમના ૧૫૦ વર્ષ: PM મોદીનો મોટો હુમલો – “૧૯૩૭માં વિભાજનના બીજ રોપાયા,” તે વિચારધારા આજે પણ દેશ માટે મોટો પડકાર છે
1993 Mumbai Blast: ટાઇગર મેમણ પર કાયદાનો ડંડો: ૧૯૯૩ બ્લાસ્ટના કાવતરાના ફ્લેટ સહિત ૧૭ સંપત્તિઓ હરાજીમાં મુકાશે
Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Exit mobile version