Site icon

‘કૂતરા પર કૂતરા’, હવે ભાજપ નેતા રામેશ્વર શર્માએ મલ્લિકાર્જુન ખડગેને કહ્યા ‘સોનિયાનો કૂતરો’

મલ્લિકાર્જુન ખડગેની ટીકા કરતા ભાજપના એક નેતાએ તેમને સોનિયા ગાંધીનો કૂતરો કહી દીધા છે.

Rameshwar Sharma

now BJP leader Rameshwar Sharma calls Mallikarjun Kharge

News Continuous Bureau | Mumbai

દેશના નેતાઓએ આ દિવસોમાં નિવેદનબાજીનો અલગ જ સૂર છેડીને રાખ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભારત-ચીન વિવાદ પર બીજેપીને ઘેરી છે. તેમણે ભાજપના નેતાઓને પૂછ્યું હતું કે શું તેમના ઘરનો કોઈ કૂતરો ક્યારેય સરહદ પર મર્યો છે? આ નિવેદન માટે તેમની ઘણી ટીકા થઈ હતી. હવે ભાજપના નેતા રામેશ્વર શર્માએ તમામ હદો પાર કરીને મલ્લિકાર્જુન ખડગેને ‘સોનિયાનો કૂતરો’ કહી દીધા છે. રામેશ્વર શર્માએ કહ્યું કે કોંગ્રેસને કુતરા ગણવાની આદત છે દેશભક્ત ગણવાની નહીં. મલ્લિકાર્જુન ખડગે પર ભાજપ સતત પ્રહારો કરી રહ્યું છે.

Join Our WhatsApp Community

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, ‘અમે દેશને આઝાદી અપાવી અને ઈન્દિરા અને રાજીવ ગાંધીએ દેશની એકતા માટે બલિદાન આપ્યું. અમારા પક્ષના નેતાઓએ જીવ આપ્યો, તમે શું કર્યું? શું તમારા કોઈ ઘરમાંથી દેશ માટે કોઈ કૂતરો પણ મર્યો છે? શું (કોઈએ) કોઈ બલિદાન આપ્યું છે?’ મલ્લિકાર્જુન ખડગે ભાજપ અને આરએસએસને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમણે જે શબ્દોનો ઉપયોગ કર્યો તે તેમના માટે એમુશ્કેલી બની ગયા. 

આ સમાચાર પણ વાંચો:વર્ષ પુરુ થશે… આવશે આ નવો નિયમ અને આ વ્હીકલ્સની સફર ખતમ થશે ખત્મ! જાણો શું છે કારણ

‘કોંગ્રેસ નેતા માણસો નહીં કૂતરા વધુ ગણે છે’

મલ્લિકાર્જુન ખડગેના નિવેદનના જવાબમાં રામેશ્વર શર્માએ કહ્યું કે, ‘કોંગ્રેસને કૂતરા ગણવાની આદત છે, તેને દેશભક્તો ગણવાની આદત પડી નથી. દેશભક્તોને માન આપવાની ટેવ નથી પડી. જેમ આ સોનિયા ગાંધીના દરબારી કૂતરા બનીને ફરે છે, એ જ દ્રષ્ટિથી જુએ છે. જે પોતે કૂતરો હોય છે તે બીજાને કૂતરાની જેમ જુએ છે. મલ્લિકાર્જુન ખડગેએ વિચારવું જોઈએ કે જો તે પોતે 10 જનપથ અને સોનિયા ગાંધીના કૂતરા બન્યા હોય તો બીજાને કૂતરો કહેવો અપરાધ છે.

વાસ્તવમાં અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીની સૈનિકો અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમાં ભારતીય સૈનિકોને માર મારી રહ્યા છે અને આપણી સરકાર કંઈ કરી રહી નથી. આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે આવું જ શાબ્દિક યુધ્ધ શરૂ થયું હતું, જેને હવે આવું સ્વરૂપ ધારણ કરી લીધું છે.

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version