Site icon News Continuous Bureau | Mumbai

DGCA new SOP: હવે ફલાઈટમાં વિલંબના કિસ્સામાં એરલાઈન્સ મુસાફરોને આ રીતે કરશે જાણ…. DGCA એ જારી કરી આ નવી SOP ..

DGCA new SOP: સારા સંચાર અને મુસાફરોની સુવિધા માટે SOP જારી કરી છે. ઈન્ડિગો ફ્લાઈટની ઘટના સામે આવ્યા બાદ જ્યારે વિવાદ વધ્યો ત્યારે DGCAએ SOP જારી કરવાની વાત કરી હતી. આ હેઠળ, એરલાઇન્સને સૂચના પણ આપવામાં આવી છે કે, તેઓ ફ્લાઇટમાં વિલંબ અને લોકોને પડતી અસુવિધાના સંદર્ભમાં હવાઈ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્વીકારે.

DGCA new SOP Now in case of flight delay, airlines will inform passengers like this.... DGCA issued this new SOP

DGCA new SOP Now in case of flight delay, airlines will inform passengers like this.... DGCA issued this new SOP

News Continuous Bureau | Mumbai

DGCA new SOP: DGCA એ એરલાઇન્સ ( Airlines ) માટે વધુ સારા સંચાર અને મુસાફરોની ( passengers ) સુવિધા માટે SOP જારી કરી છે. ઈન્ડિગો ફ્લાઈટની ઘટના સામે આવ્યા બાદ જ્યારે વિવાદ વધ્યો ત્યારે DGCAએ SOP જારી કરવાની વાત કરી હતી. આ હેઠળ, એરલાઇન્સને સૂચના પણ આપવામાં આવી છે કે, તેઓ ફ્લાઇટમાં વિલંબ ( Flight Delay ) અને લોકોને પડતી અસુવિધાના સંદર્ભમાં હવાઈ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્વીકારે. આ સાથે જ ફ્લાઇટ કેમ મોડી પડી રહી છે. તેનું કારણ પણ બહાર લાવવું જરૂરી છે. DGCAએ આ માટે CAR જારી કરી છે. જેમાં મુસાફરોને વ્હોટ્સએપ દ્વારા ફ્લાઈટના વિલંબ વિશે પણ જાણ કરવામાં આવશે. 

Join Our WhatsApp Channel

SOP: એરલાઈન્સને આ સૂચનાઓ આપવામાં આવી છે:

એરલાઈન્સે તેમની ફ્લાઈટ્સના વિલંબને લગતી ચોક્કસ રીઅલ-ટાઇમ માહિતી શેર કરવી પડશે. જે આ ચેનલો/માધ્યમો દ્વારા મુસાફરો સાથે શેર કરવામાં આવશે.

A) એરલાઇનની સંબંધિત વેબસાઇટ
B) અસરગ્રસ્ત મુસાફરોને એસએમએસ/વોટ્સ એપ ( Whatsapp Message ) અને ઇ-મેઇલ દ્વારા એડવાન્સ નોટિફિકેશન
C) એરપોર્ટ પર રાહ જોઈ રહેલા મુસાફરોને ફ્લાઇટમાં વિલંબ અંગે અપડેટ કરેલી માહિતી
D) એરપોર્ટ પરના એરલાઈન્સના કર્મચારીઓને યોગ્ય રીતે કોમ્યુનિકેટ કરવા અને ફ્લાઈટમાં વિલંબ થવાના યોગ્ય કારણોની મુસાફરોને માહિતી આપવાની રહેશે.

 તમામ એરલાઈન્સે તાત્કાલિક અસરથી ઉપરોક્ત SOPનું ફરજિયાતપણે પાલન કરવું પડશે…

જો કે, ધુમ્મસની મોસમ ( Fog season ) અથવા પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને, એરલાઇન્સ આવી ફ્લાઇટ્સ જે વિલંબ થવાની સંભાવના છે તે અગાઉથી રદ કરી શકાય છે. આ સિવાય જો આવી પરિસ્થિતિમાં 3 કલાકથી વધુનો વિલંબ થાય તો પણ એરલાઈન્સ ફ્લાઈટ્સ કેન્સલ કરી શકે છે જેથી ભીડ ઓછી થઈ શકે છે. પરંતુ આ માટે અગાઉથી યોગ્ય પગલાં લેવા જોઈએ. જેથી એરપોર્ટ અને મુસાફરોને થનાર અસુવિધા ઘટાડી શકાય છે. તેમ જ સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે, તમામ એરલાઈન્સે તાત્કાલિક અસરથી ઉપરોક્ત SOPનું ફરજિયાતપણે પાલન કરવું પડશે. તમને જણાવી દઈએ કે આ SOP ડીજીસીએ ડાયરેક્ટર દ્વારા જારી કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : FASTag KYC: રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીનો નવો આદેશ.. આ તારીખ સુધીમાં જો ફાસ્ટેગમાં KYC નહી કરો તો ચૂકવવો પડશે દંડ..

ઉલ્લેખનીય છે કે, ઈન્ડિગો ફ્લાઇટમાં ( Indigo flight )  બનેલી ઘટના બાદ.. ઈન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું કે, રવિવારે ફ્લાઇટ 6E 2175માં વિલંબની જાહેરાત દરમિયાન એક મુસાફરે અમારા ‘ફર્સ્ટ ઓફિસર’ પર હુમલો કર્યો. પ્રોટોકોલ મુજબ, મુસાફરને અનિયંત્રિત જાહેર કરવામાં આવ્યો અને તેને સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓને સોંપવામાં આવ્યો. આ ઘટનામાં યોગ્ય પગલાં લેવા અને પેસેન્જરને ‘નો ફ્લાય લિસ્ટ’માં સામેલ કરવા માટે આ મામલો સ્વતંત્ર આંતરિક સમિતિને મોકલવામાં આવી રહ્યો છે. અમારા ગ્રાહકો અને ક્રૂની સલામતી સર્વોપરી છે. આ પ્રકારના અસ્વીકાર્ય વર્તન માટે અમારી પાસે શૂન્ય-સહિષ્ણુતા નીતિ છે.

West Bengal Election Result 2026| બંગાળમાં ‘કમળ’ ખીલતા દીદીના સૂર બદલાયા? ભાજપની જીત પર મમતા બેનર્જીની પહેલી પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ
Castor Seed Market : એરંડામાં સ્ટોકિસ્ટોની લેવાલી અને અલનિનોના ભયથી તેજીનો મૂડ
West Bengal Election Results 2026। બંગાળમાં માત્ર એકબે નહીં પણ કુલ સાત ‘M’ ફેક્ટર, ભાજપ કે ટીએમસી કોના માટે ફાયદાકારક?
West Bengal Election Results 2026। ઝાડગ્રામમાં જંગ તેજ પીએમ મોદીની ‘ઝાલમુડી’ વાળી બેઠક પર મતના સમીકરણો બદલાયા, જાણો કોણ મારી રહ્યું છે બાજી
Exit mobile version