ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ભારતનું ચોમાસું આંદામાન અને નિકોબારના દ્વીપ સમૂહ પર પહોંચી ગયું છે. આનો અર્થ એ થાય છે કે આગામી એક અઠવાડિયામાં એ કેરળ પહોંચી જશે તેમ જ સમયસર ભારત પર વાદળાઓ છવાઈ જશે.
ઉલ્લેખનીય છે કે મોસમ વિભાગે પહેલાં જણાવ્યું હતું કે ચોમાસું એક દિવસ વહેલું એટલે કે 31મી મેના રોજ બેસી જાય એવી શક્યતા છે.
