Site icon

વેક્સિન લેવાના નિયમોમાં ફરી થયા ફેરબદલ; હવે કોરોનાથી રિકવર થયાના આટલા મહિના બાદ જ લઈ શકાશે વેક્સિન, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

દેશમાં ચાલતા રસીકરણ અભિયાનમાં વારંવાર નવા બદલાવ થઈ રહ્યા છે. હવે કોરોનાથી સાજી થયેલી વ્યક્તિને વેક્સિન આપવા બાબતે નવા બદલાવ કરવામાં આવે એવી શક્યતા છે. નવા નિયમ મુજબ રિકવર થયાના લગભગ નવ મહિના બાદ જ તેવી વ્યક્તિને વેક્સિન અપાશે.

આ અંગે ટૂંક સમયમાં જ નૅશનલ એક્સપર્ટ ગ્રુપ ઑન વેક્સિન ઍડ્મિનિસ્ટ્રેશન (NEGVAC) નિર્ણય લઈ શકે છે. હાલમાં જ કોરોનાથી સાજા થયેલા લોકો માટે વેક્સિન આપવાનો સમય છ મહિના છે. જો નવો નિયમ અમલમાં આવશે તો એને લંબાવીને નવ મહિના કરવામાં આવે એવી શક્યતા છે. એક્સપર્ટ ગ્રુપે તથ્યોને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું સૂચન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની પહેલી લહેર દરમિયાન રીઇન્ફેક્શનનો રેટ ૪.૫ ટકા જેટલો હતો. કેટલાક દેશોમાં કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે કોરોના સંક્રમણ થયાના છ મહિના સુધી તે વ્યક્તિના શરીરમાં ઍન્ટીબૉડી રહે છે. જોકેકોવિશીલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત પણ સતત વધારવામાં આવી છે. હવે લોકોમાં સવાલ થઈ રહ્યો છે કે શું સરકાર વેક્સિનની માગને પહોંચી વળવા તો આ બદલાવ નથી કરી રહી?

Indian Army: નહિ સુધરે પાકિસ્તાન, કુપવાડા એકસાથે ૧૫ ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસ્યા; સેનાના ફાયરિંગ બાદ ઉભી પૂંછડીએ ભાગ્યા
Martyrs’ Day 2026: મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ પીએમ મોદી અને સીએમ યોગીની શ્રદ્ધાંજલિ: ‘સ્વદેશી’ ને ગણાવ્યું વિકસિત ભારતનું પાયાનું તત્વ
V. Srinivasan Demise: ભારતીય એથ્લેટિક્સના દિગ્ગજ પી.ટી. ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન, વડાપ્રધાન મોદીએ ફોન પર સાંત્વના પાઠવી
Wings India 2026: મુંબઈ-બેંગલુરુને પછાડી આ એરપોર્ટ એ જીત્યો ‘બેસ્ટ એરપોર્ટ ઓફ ધ યર’નો ખિતાબ; વિજેતાઓની યાદીમાં બિહાર પણ સામેલ
Exit mobile version