Site icon

વેક્સિન લેવાના નિયમોમાં ફરી થયા ફેરબદલ; હવે કોરોનાથી રિકવર થયાના આટલા મહિના બાદ જ લઈ શકાશે વેક્સિન, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

દેશમાં ચાલતા રસીકરણ અભિયાનમાં વારંવાર નવા બદલાવ થઈ રહ્યા છે. હવે કોરોનાથી સાજી થયેલી વ્યક્તિને વેક્સિન આપવા બાબતે નવા બદલાવ કરવામાં આવે એવી શક્યતા છે. નવા નિયમ મુજબ રિકવર થયાના લગભગ નવ મહિના બાદ જ તેવી વ્યક્તિને વેક્સિન અપાશે.

આ અંગે ટૂંક સમયમાં જ નૅશનલ એક્સપર્ટ ગ્રુપ ઑન વેક્સિન ઍડ્મિનિસ્ટ્રેશન (NEGVAC) નિર્ણય લઈ શકે છે. હાલમાં જ કોરોનાથી સાજા થયેલા લોકો માટે વેક્સિન આપવાનો સમય છ મહિના છે. જો નવો નિયમ અમલમાં આવશે તો એને લંબાવીને નવ મહિના કરવામાં આવે એવી શક્યતા છે. એક્સપર્ટ ગ્રુપે તથ્યોને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું સૂચન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની પહેલી લહેર દરમિયાન રીઇન્ફેક્શનનો રેટ ૪.૫ ટકા જેટલો હતો. કેટલાક દેશોમાં કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે કોરોના સંક્રમણ થયાના છ મહિના સુધી તે વ્યક્તિના શરીરમાં ઍન્ટીબૉડી રહે છે. જોકેકોવિશીલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત પણ સતત વધારવામાં આવી છે. હવે લોકોમાં સવાલ થઈ રહ્યો છે કે શું સરકાર વેક્સિનની માગને પહોંચી વળવા તો આ બદલાવ નથી કરી રહી?

E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Indian cotton market:સરકારની ખરીદી અને ખોળની તેજીથી રૂના બજારમાં તેજીનો માહોલ
Relief Amid Oil Crisis: મોદી મેજિક? તેલના કકળાટ વચ્ચે ખાડી દેશો ભારતની વહારે! UAE-સાઉદીથી તેલના જહાજો રવાના; જાણો શું છે સરકારનો માસ્ટરપ્લાન.
LPG Booking Update: BPCL નો નવો આદેશ! ૧૨ સિલિન્ડરનો ક્વોટા પૂરો થયા બાદ ગેસ મેળવવા આપવી પડશે આ વધારાની વિગત; જાણો હવે કેવી રીતે થશે બુકિંગ.
Exit mobile version