Site icon

1 મેથી અનવોન્ટેડ કોલથી છુટકારો મેળવો; સરકારે મોબાઈલ કંપનીઓને આપ્યો મોટો આદેશ

કોઈ પણ અગત્યનું કામ કરતી વખતે વારંવાર અનિચ્છનીય કોલ આવે છે. આનાથી લોકોને ખૂબ જ સમસ્યા થાય છે. આને ધ્યાનમાં રાખીને, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ મોબાઈલ કંપનીઓને 1 મે સુધીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ સ્પામ ફિલ્ટર્સ ઈન્સ્ટોલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આનાથી લોકો અનિચ્છનીય ફોનથી છુટકારો મળશે.

News Continuous Bureau | Mumbai

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયમ મુજબ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ સ્પામ ફિલ્ટર્સ અનિચ્છનીય કૉલ્સને અટકાવશે. આ અનિચ્છનીય કૉલ્સ અથવા સ્પામ કૉલ્સને મહત્વપૂર્ણ કામના કલાકોને ખલેલ પહોંચાડતા અટકાવશે. એટલે કે ગ્રાહકને ફોન લાગે તે પહેલા જ ફોન કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જશે. આ સેવા માટે તમામ મોબાઈલ કંપનીઓ એક કોમન પ્લેટફોર્મ હશે. આ કોમન પ્લેટફોર્મ પર કંપનીઓએ બ્લોક નંબરની માહિતી આપવી પડશે. ટ્રાઈએ આ કાર્યવાહી માટે કંપનીઓને 1 મે સુધીનો સમય આપ્યો છે. 1 મે ​​પછી, આવા નંબરોથી આવતા કૉલ્સને ફક્ત નેટવર્ક પર જ બ્લોક કરવાના રહેશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : આકાશમાં બની અલૌકિક ખગોળીય ઘટના, એક જ લાઈનમાં જોવા મળ્યાં આ પાંચ ગ્રહો.. જુઓ વિડીયો..

દરમિયાન તે બેંક અને અન્ય મહત્વપૂર્ણ માહિતી ધરાવતા નંબરોને પણ બ્લોક કરી શકે છે. આ સંદર્ભમાં ટ્રાઈએ કહ્યું છે કે બેંક, આધાર અથવા અન્ય કોઈપણ આવશ્યક સેવા સંબંધિત મેસેજ અને ફોન માટે અલગ સીરિઝ નંબર આપવામાં આવશે. આ સિવાય અન્ય તમામ નંબર બ્લોક કરી દેવામાં આવશે.

Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Exit mobile version