Site icon News Continuous Bureau | Mumbai

1 મેથી અનવોન્ટેડ કોલથી છુટકારો મેળવો; સરકારે મોબાઈલ કંપનીઓને આપ્યો મોટો આદેશ

કોઈ પણ અગત્યનું કામ કરતી વખતે વારંવાર અનિચ્છનીય કોલ આવે છે. આનાથી લોકોને ખૂબ જ સમસ્યા થાય છે. આને ધ્યાનમાં રાખીને, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ મોબાઈલ કંપનીઓને 1 મે સુધીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ સ્પામ ફિલ્ટર્સ ઈન્સ્ટોલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આનાથી લોકો અનિચ્છનીય ફોનથી છુટકારો મળશે.

News Continuous Bureau | Mumbai

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયમ મુજબ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ સ્પામ ફિલ્ટર્સ અનિચ્છનીય કૉલ્સને અટકાવશે. આ અનિચ્છનીય કૉલ્સ અથવા સ્પામ કૉલ્સને મહત્વપૂર્ણ કામના કલાકોને ખલેલ પહોંચાડતા અટકાવશે. એટલે કે ગ્રાહકને ફોન લાગે તે પહેલા જ ફોન કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જશે. આ સેવા માટે તમામ મોબાઈલ કંપનીઓ એક કોમન પ્લેટફોર્મ હશે. આ કોમન પ્લેટફોર્મ પર કંપનીઓએ બ્લોક નંબરની માહિતી આપવી પડશે. ટ્રાઈએ આ કાર્યવાહી માટે કંપનીઓને 1 મે સુધીનો સમય આપ્યો છે. 1 મે ​​પછી, આવા નંબરોથી આવતા કૉલ્સને ફક્ત નેટવર્ક પર જ બ્લોક કરવાના રહેશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : આકાશમાં બની અલૌકિક ખગોળીય ઘટના, એક જ લાઈનમાં જોવા મળ્યાં આ પાંચ ગ્રહો.. જુઓ વિડીયો..

દરમિયાન તે બેંક અને અન્ય મહત્વપૂર્ણ માહિતી ધરાવતા નંબરોને પણ બ્લોક કરી શકે છે. આ સંદર્ભમાં ટ્રાઈએ કહ્યું છે કે બેંક, આધાર અથવા અન્ય કોઈપણ આવશ્યક સેવા સંબંધિત મેસેજ અને ફોન માટે અલગ સીરિઝ નંબર આપવામાં આવશે. આ સિવાય અન્ય તમામ નંબર બ્લોક કરી દેવામાં આવશે.

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
INS Nipun Commissioned ‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક મજબૂત કદમ, ભારતીય નૌકાદળમાં ‘આઈએનએસ નિપુણ’ સત્તાવાર રીતે સામેલ
Exit mobile version