Site icon News Continuous Bureau | Mumbai

Odisha Train Accident : ઓડિશા ટ્રેન અકસ્માત 40 મૃતદેહો પર કોઈ ઈજાના નિશાન નથી, તો મૃત્યુનું કારણ શું? વિગતવાર વાંચો

Odisha Train Accident : ઓડીશા ટ્રેન એકસીડન્ટને કારણે અનેક પ્રશ્નો ઉભા થયા છે. જેમાંનો એક જટિલ પ્રશ્ન છે કે જેને શરીર પર એકેય ઈજા નથી તેમનું મૃત્યુ શા માટે થયું.

Odisha Train Accident : 40 people do not have any injury, they died of electric shock

Odisha Train Accident : 40 people do not have any injury, they died of electric shock

 News Continuous Bureau | Mumbai
Odisha Train Accident : ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વિશે એક મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે. મૃતકોમાંના ઘણાને કોઈ બાહ્ય ઈજા ન હોવાનું જાણવા મળે છે. બચાવ કામગીરીમાં સામેલ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 40 મૃતદેહો છે જેમાં કોઈ ઈજાઓ નથી. વીજ શોક લાગવાથી તેમનું મૃત્યુ થયું હોવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ઓવરહેડ વાયર પટકાયેલી ટ્રેન પર પડ્યા બાદ આખી બોગીમાં કરંટ ફેલાઈ ગયો હતો.
જીઆરપી દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અકસ્માત અને વીજળીનો કરંટ લાગવાથી અનેક મુસાફરોના મોત થયા છે.

આ સમાચાર પણ વાંચો: Joe Biden on India : ભારતમાં લોકશાહી પર સવાલ ઉઠાવનારા રાહુલ ગાંધીનું અમેરિકાના રાષ્ટ્રપતિએ નાક કાપ્યું. આ વાત કહી….

Join Our WhatsApp Channel

ટ્રેનની ઉપરની લો ટેન્શન લાઇન પડતાં બોગીમાં વીજળી પ્રવાહી થઈ હતી. એવું અનુમાન છે કે કોરોમંડલ એક્સપ્રેસ બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ સાથે અથડાયા બાદ કેબલ તૂટી ગયો હશે. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યારે ત્યાં ઘણા મૃતદેહો હતા જેની ઓળખ થઈ શકી ન હતી, ત્યાં લગભગ 40 મૃતદેહો એવા હતા કે જેના પર કોઈ ઈજાના નિશાન ન હતા. તેના શરીર પર લોહીનું એક ટીપું પણ દેખાતું ન હતું તેથી એવું માનવામાં આવે છે કે તેનું મૃત્યુ ઈલેક્ટ્રીક શોકથી થયું હતું.

રેલ્વેના એક નિવૃત્ત ઓપરેશન મેનેજરના જણાવ્યા અનુસાર, જ્યારે અથડાયેલો કોચ ઓવરહેડ કેબલને સ્પર્શ્યો, ત્યારે સમગ્ર કોચમાં ઇલેક્ટ્રિક કરંટ ફેલાઈ ગયો અને સેકન્ડોમાં મુસાફરોના મોત થયા. જીઆરપીએ આ મામલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ IPC કલમ 304A હેઠળ કેસ નોંધ્યો છે. કેસ સીબીઆઈને સોંપવામાં આવે તે પહેલા ડીએસપી રેન્કના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.

 

NASA Invites India Moon Base Mission ચંદ્ર પર કાયમી વસાહત વસાવવાની તૈયારી નાસાએ ભારતને આપ્યું ખાસ આમંત્રણ, સ્પેસ સાયન્સમાં રચાશે નવો ઇતિહાસ
BJP Internal Rebellion Resignations ભાજપમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ એક પછી એક રાજીનામાથી હાઈકમાન્ડ ચિંતામાં, દિગ્ગજ નેતાને દિલ્હીનું તેડું
Amit Shah Statement on Students in Lok Sabha લોકસભામાં આવતીકાલે વિદ્યાર્થીઓ અંગે નિવેદન આપી શકે છે અમિત શાહ, સંસદમાં રાહુલખડગે વચ્ચે બેઠક
FCRA Amendment Bill JPC વિપક્ષના આક્રમક તેવરથી નરમ પડી સરકાર? FCRA Bill પર JPC ની રચનાની અટકળો, કોંગ્રેસટીએમસીની માંગ પર નજર
Exit mobile version