Odisha train accident : પીએમ મોદી ઘટનાસ્થળે પહોંચ્યા, દુર્ઘટનાની જાત માહિતી લેશે.. મોતનો આંકડો વધ્યો.. જાણો અપડેટ્સ..

ગઇકાલે એટલે કે શુક્રવારે સાંજે ઓડિશાના બાલાસોરમાં કોરોમંડલ એક્સપ્રેસના છથી સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને અન્ય ટ્રેક પર આવતી ટ્રેન સાથે અથડાઈ હતી. અપડેટ અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 261 મુસાફરોના મોત નીપજ્યાં છે. સત્તાવાર આંકડાઓમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ અકસ્માતમાં 1000 થી વધુ લોકો ઘાયલ થયા છે.

Odisha train accident : પીએમ મોદી ઘટનાસ્થળે પહોંચ્યા, દુર્ઘટનાની જાત માહિતી લેશે.. મોતનો આંકડો વધ્યો.. જાણો અપડેટ્સ..

 News Continuous Bureau | Mumbai

આ અકસ્માત બહંગા બજાર સ્ટેશન પર સાંજે 7.20 વાગ્યે થયો જ્યારે કોરોમંડલ એક્સપ્રેસ કોલકાતા નજીક શાલીમાર સ્ટેશનથી ચેન્નાઈ સેન્ટ્રલ જઈ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અકસ્માત સ્થળે પહોંચી ગયા છે અને રેલવે મંત્રી પણ તેમની સાથે છે.

Join Our WhatsApp Community

ઓડિશા ટ્રેન દુર્ઘટના સ્થળ પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા ઘટનાની જાણકારી લીધી. આ પછી, તેમણે સ્થળ પર અધિકારીઓ સાથે વાતચીત કરી અને તેમની પાસેથી માહિતી લીધી. 

તેમણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પણ વાત કરી હતી. આ પહેલા વડાપ્રધાને દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને વડાપ્રધાન રાહત ફંડમાંથી મદદની જાહેરાત પણ કરી હતી.

આ સમાચાર પણ વાંચો: ‘કચરાથી કંચન – જડેશ્વર વન એ અમદાવાદના પૂર્વ વિસ્તારનું હરિયાળું ફેફસુ’.. જાણો ખાસ વિશેષતાઓ

Piyush Goyal on Fuel Supply: ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની અછત નથી, મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે કેન્દ્રીય મંત્રીની મોટી સ્પષ્ટતા; વાંચો સરકારનો પ્લાન
Cancelled Train List April 2026: શું તમારી ટ્રેન પણ રદ થઈ છે? એપ્રિલ મહિનામાં ભોપાલ રૂટ પર મુસાફરી કરતા પહેલા વાંચી લેજો આ ન્યૂઝ; ગોંદિયામાં કામને લીધે ટ્રાફિક બ્લોક
Made in India Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હશે ‘સ્વદેશી’! જાપાનને બદલે ભારતમાં જ બનશે હાઈ-સ્પીડ ટ્રેન સેટ; જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ.
Instagram Down: ઇન્સ્ટાગ્રામ ગ્લોબલ આઉટેજ! વિશ્વભરમાં મેટાનું પ્લેટફોર્મ થયું ઠપ; હજારો યુઝર્સની ફરિયાદ બાદ એન્જિનિયરો કામે લાગ્યા
Exit mobile version