ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર.
ભારતમાં ધીમે ધીમે ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ ડેટા અનુસાર, અત્યાર સુધીમાં, ભારતના 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 236 કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 65 કેસ છે, દિલ્હીમાં 64, તેલંગાણામાં 24, રાજસ્થાનમાં 21, કર્ણાટકમાં 19 અને કેરળમાં 15 કેસ છે.
ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન વેરિઅન્ટના કારણે વિશ્વભરમાં ચિંતાનું વાતાવરણ છે અને દેશોમાં નિયંત્રણો લાગુ કરવામાં આવી રહ્યા છે.
