Site icon

Ram Mandir Pran Pratishtha: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે.. હવે જમ્મુ કાશ્મીરમાં પ્રાચીન રઘુનાથ મંદિરમાં શરુ થયો આટલા દિવસીય કાર્યક્રમનો પ્રારંભ..

Ram Mandir Pran Pratishtha: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દેશભરમાં જોરશોરથી તૈયારી ચાલુ છે. ત્યારે દેશભરમાં વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે.

On the occasion of Ayodhya Ram Mandir Pran Pratisthan, Now the day-long program has started in the ancient Raghunath Temple in Jammu Kashmir..

On the occasion of Ayodhya Ram Mandir Pran Pratisthan, Now the day-long program has started in the ancient Raghunath Temple in Jammu Kashmir..

News Continuous Bureau | Mumbai 

Ram Mandir Pran Pratishtha: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે, જમ્મુ કાશ્મીરમાં ( Jammu and Kashmir ) સ્થિત પ્રાચીન રઘુનાથ મંદિરમાં ( Raghunath temple ) શનિવારથી ત્રણ દિવસીય કાર્યક્રમ શરૂ થયો છે.

Join Our WhatsApp Community

આ કાર્યક્રમની શરૂઆત 20 જાન્યુઆરીની સવારે પવિત્ર સુંદરકાંડના ( Sundara Kanda ) પાઠ સાથે થઈ હતી. કારણ કે ચેરિટેબલ ટ્રસ્ટે 20-22 જાન્યુઆરી સુધી ચાલનારા ભવ્ય ઉજવણીમાં ભાગ લેવા માટે વિસ્તારના લોકોને આમંત્રણ આપ્યું છે. જમ્મુ અને કાશ્મીર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને પૂર્વ મંત્રી જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ચેરીટેબલ ટ્રસ્ટ ( Charitable Trust ) વતી અમે જમ્મુના લોકોને ભવ્ય સમારોહમાં ભાગ લેવા આમંત્રણ આપીએ છીએ.

તેમણે કહ્યું કે અમે 21 અને 22 જાન્યુઆરીએ ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું છે, જેમાં રામાયણનું પઠન, નૃત્ય, સંગીત અને કલાકારો દ્વારા ગાયેલા ભજનોનો સમાવેશ થશે. તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

 સાત મંદિરો ધરાવતું રઘુનાથ મંદિર ઉત્તર ભારતમાં સૌથી મોટા પ્રાચીન મંદિર સંકુલમાંનું એક છે..

રઘુનાથ મંદિર પરિસરમાં સ્થિત અનેક મંદિરોમાં પ્રાર્થના કરવા અને મંદિરના પૂજારીઓની આગેવાની હેઠળના સુંદરકાંડ પાઠમાં ભાગ લેવા માટે ભક્તો મંદિરમાં ઉમટી રહ્યા છે. કિર્તન પર નાચતા લોકો સાથે સુંદર ભજનોથી વાતાવરણ રામમય બન્યું છે.

આ સમાચાર પણ વાંચો : Ayodhya: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વચ્ચે વિદેશીઓ પણ બન્યા રામ ભક્ત. આ બેલ્જિયમના લેખકેને પણ મળ્યું આમંત્રણ..

શ્રી રામ પોતાના ઘર અયોધ્યા પરત ફરી રહ્યા છે. અમે ખૂબ જ ખુશ છીએ. એક ભક્ત સંગીત દેવીએ કહ્યું કે અમે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે આજથી ત્રણેય દિવસે રઘુનાથ મંદિરમાં ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છીએ.

સાત મંદિરો ધરાવતું રઘુનાથ મંદિર ઉત્તર ભારતમાં સૌથી મોટા પ્રાચીન મંદિર સંકુલમાંનું એક છે. તેના પર આતંકવાદીઓ દ્વારા બે વખત હુમલો કરવામાં આવ્યો હતો. મહારાજા ગુલાબ સિંહ અને તેમના પુત્ર મહારાજ રણબીર સિંહે 1853-1860 ની વચ્ચે મંદિર બનાવ્યું હતું.

એક રિપોર્ટ મુજબ, રઘુનાથ મંદિરમાં 33,000 દેવી-દેવતાઓ નિવાસ કરે છે અને સંકુલની બહાર 32 મંદિરો છે. લોકો અયોધ્યા જઈ શકતા નથી તેઓ આ મંદિરમાં આવે છે અને અહીંના ઉત્સવોમાં ભાગ લે છે. તેમણે કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવશે અને ત્રણ દિવસીય કાર્યક્રમના ભાગરૂપે રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. જે-કે ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું હતું કે મંદિર પરિસરની પુષ્પ શણગાર અને નવી ડિઝાઇન પર કામ ચાલી રહ્યું છે.

Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
Exit mobile version