Site icon News Continuous Bureau | Mumbai

‘વન નેશન- વન ઇલેકશન’ આજના યુગની તાતી જરૂરિયાત… ‘સંવિધાન દિને’ વડાપ્રધાનનું દેશને સંબોધન .. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
26 નવેમ્બર 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ સંવિધાન દિવસના અવસર પર કેવડિયામાં ચાલી રહેલા કાર્યક્રમને સંબોધિત કર્યો. પીએમ મોદીએ આ દરમ્યાન મુંબઇ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી કહ્યું કે આપણે એ જખ્મને કયારેય ભૂલી શકીશું નહીં. તેની સાથે જ પીએમ મોદીએ એક વખત ફરીથી દેશનું ધ્યાન એક દેશ- એક ચુંટણી (One Nation – One Election) ની જરૂરિયાત તરફ ખેંચ્યું અને તેને સમયની જરૂરિયાત બતાવી.

Join Our WhatsApp Channel

# વન નેશન-વન ઇલેકશન દેશની જરૂરિયાત —

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વન નેશન વન ઇલેક્શન માત્ર વિચાર-વિમર્શનો મુદ્દો નથી, પરંતુ દેશની જરૂરિયાત છે. વિવિધ સમયે યોજાતી ચૂંટણીઓ વિકાસ કાર્યોમાં અડચણ ઊભી કરે છે અને તેના વિશે આપણે ગંભીરતાથી વિચારવું જોઈએ. PM મોદીએ કહ્યું કે, લોકસભા, વિધાનસભા અને અન્ય ચૂંટણીઓ માટે એક મતદાર યાદીનો ઉપયોગ કરવો જોઈએ. આપણે આ તમામ યાદીઓ પર સમય અને નાણા કેમ બરબાદ કરી રહ્યા છીએ?
દેશમાં દરેક મહિનામાં કયાંક ને કયાંક ચૂંટણીઓ થતી રહે છે, એવામાં તેના પર મંથન શરૂ થવું જોઇએ. આજના યુગમાં આપણે સંપૂર્ણપણે ડિજિટલકરણની તરફ આગળ વધી રહ્યા છીએ. જે આવકારનીય પગલું છે..

PM Modi on US Iran Deal અમેરિકાઈરાન શાંતિ કરાર પર વડાપ્રધાન મોદીનું ટ્વીટ ‘આ સમજૂતીથી વિશ્વમાં શાંતિ અને સ્થિરતા બહાલ થશે’
Safety Advisory for Indian Seafarers ભારત સરકારનું કડક પગલું હોર્મુઝ સંકટ વચ્ચે ભારતીય નાવિકોની સુરક્ષા માટે નવી ભરતી સ્થગિત
Monsoon Delay Challenges દરિયામાં ભેજ હોવા છતાં ચોમાસું સુસ્ત પવનોની ખેંચતાણ વચ્ચે અટવાઈ ‘મોનસૂન એક્સપ્રેસ’
Impact of US Iran Deal on Fuel Prices અમેરિકાઈરાન સમજૂતીની અસર ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, શું ભારતમાં ઘટશે પેટ્રોલડીઝલના ભાવ?
Exit mobile version