Site icon News Continuous Bureau | Mumbai

‘વન નેશન- વન ઇલેકશન’ આજના યુગની તાતી જરૂરિયાત… ‘સંવિધાન દિને’ વડાપ્રધાનનું દેશને સંબોધન .. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
26 નવેમ્બર 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ સંવિધાન દિવસના અવસર પર કેવડિયામાં ચાલી રહેલા કાર્યક્રમને સંબોધિત કર્યો. પીએમ મોદીએ આ દરમ્યાન મુંબઇ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી કહ્યું કે આપણે એ જખ્મને કયારેય ભૂલી શકીશું નહીં. તેની સાથે જ પીએમ મોદીએ એક વખત ફરીથી દેશનું ધ્યાન એક દેશ- એક ચુંટણી (One Nation – One Election) ની જરૂરિયાત તરફ ખેંચ્યું અને તેને સમયની જરૂરિયાત બતાવી.

Join Our WhatsApp Channel

# વન નેશન-વન ઇલેકશન દેશની જરૂરિયાત —

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વન નેશન વન ઇલેક્શન માત્ર વિચાર-વિમર્શનો મુદ્દો નથી, પરંતુ દેશની જરૂરિયાત છે. વિવિધ સમયે યોજાતી ચૂંટણીઓ વિકાસ કાર્યોમાં અડચણ ઊભી કરે છે અને તેના વિશે આપણે ગંભીરતાથી વિચારવું જોઈએ. PM મોદીએ કહ્યું કે, લોકસભા, વિધાનસભા અને અન્ય ચૂંટણીઓ માટે એક મતદાર યાદીનો ઉપયોગ કરવો જોઈએ. આપણે આ તમામ યાદીઓ પર સમય અને નાણા કેમ બરબાદ કરી રહ્યા છીએ?
દેશમાં દરેક મહિનામાં કયાંક ને કયાંક ચૂંટણીઓ થતી રહે છે, એવામાં તેના પર મંથન શરૂ થવું જોઇએ. આજના યુગમાં આપણે સંપૂર્ણપણે ડિજિટલકરણની તરફ આગળ વધી રહ્યા છીએ. જે આવકારનીય પગલું છે..

Modi Govt Cabinet Chintan Baithak વિકસિત ભારતના એજન્ડા પર ચિંતન શિબિર; કેન્દ્રીય મંત્રીમંડળની મહત્વની બેઠક અંગે સામે આવ્યા મોટા સંકેત
ABVP Victory In DUSU Elections DUSU ચૂંટણીમાં ABVP નો ભવ્ય વિજય કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ બોલ્યા ‘આ યુવાનોનો અસલી અવાજ અને…’
Rahul Gandhi Attacks BJP ‘ભાજપ ચૂંટણી લડવા નથી માંગતી, પરંતુ…’ કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર
TMC Rejinagar Candidate UTurn પશ્ચિમ બંગાળમાં રાજકીય નાટક! મમતા કેમ્પના ઉમેદવારે ફેરવી તોળ્યું, રેજીનગરમાં પેટાચૂંટણીનો જંગ જામશે
Exit mobile version