Site icon

શું તમે ઓનલાઇન રેલવે- ટિકિટ બુકિંગ કરાવો છો? હવે આ કામ ફરજિયાત કરવું પડશે. જાણો વિગતે…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 02 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

ગુરુવાર 

કોરોના સંક્રમણને કારણે લાંબા સમયથી ટિકિટ બુક ન કરાવનારા પ્રવાસીઓ માટે રેલવેએ નવા નિયમો રજૂ કર્યા ચે. આઇઆરસીટીસી પોર્ટલ પરથી ટિકિટ ખરીદવા માટે આ લોકોએ પહેલા તેમના મોબાઇળ નંબર અને ઇમેલને વેરિફાઇ કરવાની જરૃર પડશે. ત્યાર પછી જ પ્રવાસીઓને ટિકિટ મળશે. જાે કે પ્રવાસીઓ ઓનલાઇન સિવાય  ટિકિટ ખરીદે છે તેમણે આ પ્રક્રિયાથી પસાર થવું નહી પડે.ેટરિંગ  એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટી) દ્વારા ઓનલાઇન ટિકિટ ખરીદી કરનારા પ્રવાસીઓએ હવે મોબાઇલ અને ઇ-મેલ વેરિફિકેશન કરાવવું પડશે. ત્યારબાદ જ ટિકિટ મળશે. આઇઆરસીટીસી ભારતીય રેલવે હેઠળ ઇ- ટિકિટનું ઓનલાઇન વેચાણ કરે છે. પ્રવાસીઓ ટિકિટ માટે આ પોર્ટલ પર લોગીન અને પાસવર્ડ બનાવે છે અને પછી ઓનલાઇન ટ્રેન બુકિંગને લાભ લે છે. કોરોના વાયરસનો ઉપદ્રવ શમી જતાં જ ટ્રેનો દોડવા લાગી છે. આવી સ્થિતિમાં ટિકિટના વેચાણમાં પણ વધારો થયો છે. હાલમાં ૨૪ કલાકમાં લગભગ આઠ લાખ ટ્રેન ટિકિટો બુક થઇ રહી છે. પ્રાપ્ત જાણકારી મુજબ કોરોનાની પ્રથમ અને બીજી લહેર અને તે પહેલાં પોર્ટલ પર નિષ્ક્રિય રહેલા અકાઉન્ટની ખાતરી કરવા માટે મોબાઇલ નંબર અને ઇમેલ ચકાસણીની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે.

 

કૃષિ આંદોલન મુદ્દે સરકારનો સંસદમાં જવાબ, 600થી 700 ખેડૂતોના મોતના દાવા વચ્ચે કહ્યું- એક પણ ખેડૂતનું નથી થયું મોત તો…

Naxal Hidma: મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં તેના આટલા સાથીઓ પણ માર્યા ગયા
Hamas attack: દિલ્હી બ્લાસ્ટ: સુસાઇડ બોમ્બરથી લઈને રોકેટ-ડ્રોન સુધી! શું ઉમરનું કાવતરું ભારતમાં ‘હમાસ’ જેવો મોટો હુમલો કરવાનું હતું?
Tejashwi Yadav: તેજસ્વી યાદવ પર દબાણ! રાજકીય કારકિર્દી સામે ઊભો થયો સવાલ, મીટિંગમાં ભાવુક થઈ નેતાએ કેમ આપ્યું રાજીનામું આપવા જેવું નિવેદન?
Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ કેસ માં અલ-ફલાહ યુનિવર્સિટી પર ED ની મોટી કાર્યવાહી, ચાર રાજ્યોમાં કુલ આટલા ઠેકાણાં પર દરોડા
Exit mobile version