Site icon News Continuous Bureau | Mumbai

મોદી ના શાસન માં સીધી વાત. હિન્દુઓની હત્યા બંધ થશે પછી જ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજજાે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

બુધવાર 

પાંચ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જાે આપતી બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરી હતી અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેચી દીધા હતાં.  કૌલે વધુમાં જણાવ્યું હતું કે કાશ્મીરમાં પસંદગી કરાયેલા લોકોની હત્યાથી ભાજપ ચિંતિત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરોને નિશાન બનાવી તેમની પણ હત્યા કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ હત્યાઓમાં કેટલાક મુસ્લિમોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. અમે આ રીતે કરવામાં આવતી હત્યાને કડક શબ્દોમાં વખોડી નાખીએ છીએ. જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જાે એ સમયે ફરીથી બહાલ કરવામાં આવશે જ્યારે પસંદગી કરાયેલા લોકોની હત્યા બંધ કરી દેવામાં આવશે અને લોકો રાજ્યમાં સ્વતંત્રતાપૂર્વક હરીફરી શકશ તેમ જમ્મુ-કાશ્મીર ભાજપના જનરલ સેક્રેટરી અશોક કૌલે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં પત્રકારોને જણાવ્યું હતું. આ દરમિયાન નેશનલ કોન્ફરન્સના ઉપ પ્રમુખ ઓમર અબ્દુલ્લાહે જણાવ્યું છે કે પસંદગીપાત્ર લોોકોની કરવામાં આવી રહેલી હત્યા કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.

ઓમિક્રોનના પગલે આ દેશમાં આકરા પગલાં લેવામાં આવ્યા. લોકડાઉન ના ભણકારા.
 

Hafiz Saeed Wanted આતંકના આકા પર સકંજો પહલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી! NIA ની ચાર્જશીટમાં થયા મોટા ખુલાસા
India’s HighAltitude Airship ભારત બનાવશે ‘હાઇ ઑલ્ટિટ્યુડ એરશિપ’, ડ્રેગનની ગતિવિધિઓ પર રાખશે બાજ નજર
Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Sea Drones સમુદ્રી ડ્રોનથી અમેરિકાએ પહેલીવાર ઈરાનમાં મચાવી તબાહી, પાકિસ્તાન પણ બનાવી રહ્યું છે, શું ભારત પાસે છે તેનો તોડ?
Exit mobile version