Site icon News Continuous Bureau | Mumbai

Operation Sindoor Masood Azhar : મસૂદ અઝહર રડી પડ્યો! ઘરની બહાર મૃતદેહોની લાઈન; ઓપરેશન સિંદૂરમાં એક જ પરિવારના 14 સભ્યો ના મોત..

Operation Sindoor Masood Azhar : પાકિસ્તાનના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્ય ઠેકાણા મરકઝ સુભાન અલ્લાહ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં મસૂદ અઝહરના સમગ્ર પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે.

Operation Sindoor Masood Azhar Masood Azhar admits 10 family members killed in Operation Sindoor

Operation Sindoor Masood Azhar Masood Azhar admits 10 family members killed in Operation Sindoor

  News Continuous Bureau | Mumbai

Operation Sindoor Masood Azhar : ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની કાર્યવાહીથી મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરને મોટો ફટકો પડ્યો છે. આ હુમલામાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હતા. મસૂદ અઝહર પોતાના પરિવારના સભ્યોના મૃત્યુને કારણે ધ્રુસકે ધ્રુસકે રડ્યો. હવે મસૂદના ઘરના ફોટા સામે આવ્યા છે. જેમાં મસૂદના ઘરમાં મૃતદેહોની હરોળ દેખાય છે. આ મૃતદેહો પર પાકિસ્તાની ધ્વજ લગાવવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

 

Operation Sindoor Masood Azhar : ભારતીય સેનાએ  મસૂદ અઝહરના ઠેકાણાનો કર્યો નાશ

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના ઠેકાણાનો નાશ કર્યો. ભારતીય સૈનિકોએ પાકિસ્તાન સરહદથી 100 કિમી દૂર બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય અને અન્ય સ્થળો પર હુમલો કર્યો. આ હુમલામાં મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો માર્યા ગયા હતા. એ જ રીતે, આ હુમલામાં અઝહરના ચાર નજીકના સાથીઓ પણ માર્યા ગયા હતા. આ દરમિયાન, મસૂદ અઝહરના ઘરે લાશોની લાઇનો લાગેલી હોવાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

Operation Sindoor Masood Azhar : મસૂદ અઝહર મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં ટોચ પર

જૈશ-એ-મોહમ્મદે એક પરિપત્ર જારી કરીને હુમલાની પુષ્ટિ કરી છે. હવાઈ ​​હુમલામાં માર્યા ગયેલા અઝહરના પરિવારના સભ્યોના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. મસૂદ અઝહર ભારત અને દુનિયાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં ટોચ પર છે. આ હવાઈ હુમલામાં આતંકવાદીઓએ જે મસ્જિદનો ઉપયોગ કર્યો હતો તેને પણ ઉડાવી દેવામાં આવી હતી. આ હુમલા અંગે જૈશ-એ-મોહમ્મદ (JeM) ના વડા મસૂદ અઝહરની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

આ સમાચાર પણ વાંચો : Pakistan stock market :ભારતના ‘ઓપરેશન સિંદૂર’થી હચમચી ગયું પાકિસ્તાન! શેરબજારમાં કડાકો, બંધ કરવું પડ્યું ટ્રેડિંગ 

Operation Sindoor Masood Azhar : અઝહરે કહ્યું હતું  કે હું પણ મરી ગયો હોત તો સારું થાત

ભારત દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં તેના 10 સંબંધીઓ માર્યા ગયા હતા. અઝહરે કહ્યું હતું  કે હું પણ મરી ગયો હોત તો સારું થાત. અઝહરના પરિવારમાં મૃતકોમાં તેની મોટી બહેન અને તેના પતિ, અઝહરનો ભત્રીજો અને તેની પત્ની, તેમજ એક ભત્રીજો અને પરિવારમાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે. બહાવલપુરમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો પાસે બુધવારે પાકિસ્તાની નાગરિકોએ શોક વ્યક્ત કર્યો. એ જ રસ્તા પર એક અંતિમયાત્રા પણ કાઢવામાં આવી હતી.

 મહત્વનું છે કે મંગળવારે રાત્રે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યા. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા જોરદાર જવાબ આપ્યો. આ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા.

 

Rahul Gandhi Press Conference Mic Turned Off રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ કહ્યું સદનમાં માઈક બંધ કરાયું, બોલવા ન દીધો’, હવે પ્રેસ કોન્ફરન્સ કરીને બધું કહીશ…
Rahul Gandhi Press Conference એન્ટી પેપર લીક બિલ પર ઘમાસાણ રાહુલ ગાંધીએ સંસદ બહાર સરકાર અને PM મોદી પર સાધ્યું નિશાન..
BJP Press Conference On Rahul Gandhi Remarks રાહુલ ગાંધીના આક્ષેપો પર ભાજપનો પલટવાર ‘ગૃહમંત્રી નહીં મેજિસ્ટ્રેટ આદેશ આપે છે’, પક્ષે બંધારણીય મર્યાદાઓનો આપ્યો હવાલો!
Lok Sabha Anti Paper Leak Bill Passed Debate ગૃહમાં ઘમાસાણ અને બિલ પાસ એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન રાહુલ અને સરકાર આમનેસામને!
Exit mobile version