Site icon News Continuous Bureau | Mumbai

Army Chief: ‘પાકિસ્તાન વિચારી લે નકશા પર રહેવું છે કે નહીં, આર્મી ચીફની કડક ચેતવણી

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ વિજયાદશમીના અવસરે રાજસ્થાનના અનૂપગઢથી પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો; કહ્યું કે ઓપરેશન સિંદૂર ૨.૦માં ભારત સંયમ નહીં રાખે, આતંકવાદ રોકવા પર ભાર મૂક્યો

Army Chief 'પાકિસ્તાન વિચારી લે નકશા પર રહેવું છે કે નહીં, આર્મી ચીફની કડક ચેતવણી

Army Chief 'પાકિસ્તાન વિચારી લે નકશા પર રહેવું છે કે નહીં, આર્મી ચીફની કડક ચેતવણી

News Continuous Bureau | Mumbai 

Army Chief રાજસ્થાનના અનૂપગઢમાં ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી. તેમણે કહ્યું કે “આ વખતે અમે ઓપરેશન સિંદૂર ૧.૦ જેવો સંયમ નહીં રાખીશું. આ વખત માં અમે કંઈક એવું કરીશું, જેનાથી પાકિસ્તાનને વિચારવું પડશે કે તે નકશા (ભૂગોળ) પર રહેવા માંગે છે કે નહીં.” આર્મી ચીફે કહ્યું કે જો પાકિસ્તાન નકશા (ભૂગોળ) પર રહેવા માંગે છે, તો તેણે રાજ્ય પ્રાયોજિત આતંકવાદ ને રોકવો પડશે.

Join Our WhatsApp Channel

સંયમ નહીં રાખીએ: આર્મી ચીફ

આર્મી ચીફ વિજયાદશમીના અવસર પર સૈનિકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે “જો પાકિસ્તાન દુનિયાના ઇતિહાસ અને ભૂગોળમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માંગે છે, તો તેણે રાજ્ય-પ્રાયોજિત આતંકવાદને બંધ કરવો પડશે. કારણ કે આ વખત અમે તે સંયમ નહીં બતાવીએ જે અમે ઓપરેશન સિંદૂર ૧.૦ માં બતાવ્યો હતો અને જો ફરી અમને ઉશ્કેરવામાં આવ્યા તો અમે એક પગલું આગળ પણ જઈશું.” તેમણે સ્પષ્ટ કર્યું કે આવી સ્થિતિમાં ભારતની પ્રતિક્રિયા એટલી તાકાતવર હશે કે પાકિસ્તાનને એ વિચારવા પર મજબૂર થવું પડશે કે તે નકશા પર રહેવા માંગે છે કે નહીં.

સૈનિકોને ‘સ્ટેન્ડબાય’ રહેવાનો આદેશ

જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ભારતીય સૈનિકોને તૈયાર અને સ્ટેન્ડબાય (Standby) પર રહેવાનો નિર્દેશ આપતા આ સંકેત આપ્યો કે તેમને જલ્દી જ એક વધુ તક મળી શકે છે. તેમણે કહ્યું કે, “કૃપા કરીને સંપૂર્ણ રીતે તૈયાર રહો. ઈશ્વરની કૃપાથી તમને ખૂબ જલ્દી એક વધુ તક મળશે.

આ સમાચાર પણ વાંચો : Robert Kiyosaki: વોરન બફેટના વલણ પર રોબર્ટ કિયોસાકીનું એલર્ટ, સોના અને ચાંદી ને લઈને કર્યો આવો દાવો

ઓપરેશન સિંદૂર ૧.૦ માં ૧૦૦થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા

જણાવી દઈએ કે ૭ મેના રોજ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાઓએ સચોટ હુમલા કરીને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે) અને પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ તબાહ કર્યા હતા. ભારતીય સેનાઓના આ હુમલામાં ૧૦૦થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા. આ હુમલો ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલામાં ૨૬ નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી.

Mahakal Mandir Viral Ring Ceremony| બાબા મહાકાલના દરબારમાં નિયમોના ધજાગરા ગર્ભગૃહ પાસે કપલે એકબીજાને પહેરાવી વીંટી; સિક્યોરિટી એજન્સીને ફટકારાયો મોટો દંડ!
Tiffany Trump Akshardham Temple Delhi।ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી પર ચઢ્યો ભારતીય સંસ્કૃતિનો રંગ પતિ સાથે પહોંચી અક્ષરધામ મંદિર, ભવ્યતા જોઈ કહી દીધી આ મોટી વાત!
Bank Holidays June 2026 List। જૂન મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં રજાઓનો ભડાકો, શનિવારરવિવાર સહિત આટલા દિવસો સામેલ
India Secret Plan Strait of Hormuz| હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતે એક્ટિવ કર્યો ‘સીક્રેટ પ્લાન’! ખાડી દેશોમાં ફસાયેલા ૧૩ ભારતીય જહાજોને બહાર કાઢવા મોટું ઓપરેશન
Exit mobile version