Site icon

યોગી આદિત્યનાથ પાકિસ્તાન માટે રોલ મોડેલ બન્યાં, કોરોનાને લઇ યોગી પાસ ઈમરાન ખાન ફેલ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

9 જુન 2020

પાકિસ્તાનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ રાતો રાત હિરો બની ગયા છે.

કોરોનાની મહામારીનો સામનો કરવા તેમજ પ્રવાસી મજૂરોને મદદ કરવા બલદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કામની ચારેકોર ભારે પ્રશંસા થઈ રહી છે. જ્યારે ભારતના કટ્ટર દુશ્મન પાકિસ્તાન યોગી આદિત્યનાથના વખાણ કરતા થાકતું નથી.

પાકિસ્તાનના એક જાણીતા સમાચારપત્રએ યોગી આદિત્યનાથ તરફથી ભરવામાં આવેલા પગલાના ભારે વખાણ કર્યા હતાં. જ્યારે પાકિસ્તાનના એક જાણીતા પત્રકારે ટ્વિટ કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારના કામકાજની સરખામણીએ કરી છે. જેમાં તેમણે ઈમરાન ખાન સરકાર કરતા યોગી આદિત્યનાથના નેતૃત્વને ચડિયાતુ ગણાવ્યુ છે. તેમનું કહેવું છે કે UP એ લોકડાઉનનો કડક અમલ કર્યો, તો પાક. પીએમ ઈમરાન ફેઈલ થયા છે અને આથી જ મૃત્યુદરમાં તફાવત સ્પષ્ટ જોઇ શકાય છે.

પાક.ના આ પત્રકારે કહ્યું કે પાકિસ્તાનની વસ્તી 20.80 કરોડ છે તો એકલા ઉત્તર પ્રદેશની વસ્તી 22.50 કરોડ છે, પરંતુ અહીં મૃત્યુ દર પાકિસ્તાનની સરખામણીએ ઘણો ઓછો છે. ઉત્તર પ્રદેશમાં માત્ર 10,536 અને પાકિસ્તાનમાં 98,943 લોકોને કોરોનાનો ચેપ છે. પાકિસ્તાનમાં 2002 લોકોના મૃત્યુ થયા છે, તો UPમાં અત્યાર સુધીમાં કુલ 275 મોત થયા છે. આમ ઈમરાન ખાન કરતા યોગી આદિત્યનાથનું નેતૃત્વ વધારે ચડિયાતુ છે એવો પાકિસ્તાનમા માનવું છે..

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version