Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરના ડોડામાં હવે જોશીમઠ જેવું સંકટ, લેન્ડ સ્લાઈડિંગ, ઈમારતોમાં તિરાડો, 19 મકાનો ખાલી કરાવવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં પણ જોશીમઠ જેવું સંકટ સામે આવ્યું છે. જિલ્લાના એક ગામની જમીન ધસી રહી છે,

જમ્મુ-કાશ્મીરના (  J&Ks ) ડોડા ( Doda  ) જિલ્લામાં પણ જોશીમઠ જેવું સંકટ સામે આવ્યું છે. જિલ્લાના એક ગામની ( residential structures ) જમીન ધસી ( cracks  ) રહી છે, જેના કારણે ઈમારતોમાં સતત તિરાડો દેખાઈ રહી છે. પરિવારોને ( families ) તેમના ઘરોમાંથી દૂર કરીને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 19 ઘરો, 1 મસ્જિદ અને 1 મદરેસાને ખાલી કરાવવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

કિશ્તવાડ-બટોટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ડોડા શહેરથી 35 કિમી દૂર આવેલા થાથરી વિસ્તારના નાઈ બસ્તી ગામમાં, ઘરોની દિવાલોમાં તિરાડો દેખાઈ હતી, અને કાદવને કારણે છત અને દિવાલો નીચે પડવા લાગી હતી. અધિકારીઓનું કહેવું છે કે ભૂસ્ખલનના કારણની તપાસ માટે નિષ્ણાતોને ગામમાં મોકલવામાં આવ્યા છે. ડોડાના ડેપ્યુટી કમિશનર વિશેષ મહાજને જણાવ્યું હતું કે, અમે લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છીએ.

આ સમાચાર પણ વાંચો : ઉનાળામાં એસીની જરૂર નથી ! આ પંખો ખરીદી કાશ્મીરી પવન નો લાભ લો

ગામમાં ગભરાટ

ગામની એક મહિલાએ જણાવ્યું કે તે 15 વર્ષથી અહીં રહે છે પરંતુ આ પહેલીવાર જોવા મળી છે. ગામના 50 થી વધુ પરિવારોમાં ભયનો માહોલ છે. તેમણે જણાવ્યું કે ભૂસ્ખલન બાદ મોટાભાગના ઘરોમાં તિરાડો દેખાઈ હતી. ગામના એક વ્યક્તિએ જણાવ્યું કે નવી વસાહત લગભગ બે દાયકા પહેલા સ્થપાઈ હતી અને આ પહેલા આવી કોઈ સમસ્યા અહીં જોવા મળી નથી.

Congress Attacks Modi Govt Over UPI Charges ‘રાહત આપવાને બદલે ખિસ્સા પર તરાપ’ યુપીઆઈ ચાર્જ મુદ્દે ખડગેનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર
NDA Rift On UCC યુસીસી મામલે એનડીએમાં મતભેદ સપાટી પર નીતિશ કુમારે જેડીયુના ટોચના નેતાઓ સાથે તાકીદની બેઠક યોજી
Ayodhya Ramkatha Museum Tender રામ મંદિર બાદ હવે રામકથા સંગ્રહાલયની વારી ૨૦ આધુનિક ગેલેરીઓ માટે ૧૦ ઓક્ટોબરથી ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે
Tata Sons RBI Dispute ટાટા ગ્રૂપ અને આરબીઆઈ આમનેસામને આઈપીઓ લિસ્ટિંગ ટાળવાનો કાનૂની માર્ગ, બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો વિવાદ
Exit mobile version